Gujarati News

Gujarati News

News of Wednesday, 10th February 2021

ડેડીયાપાડામાં ઘરની લાઈટ ચાલુ કરવા જનાર વ્યક્તિનો હાથ વાયરને અડી જતા કરંટ લાગતા મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના ડેડીયાપાડા ખાતે ઘરમાં લાઈટનું રિપેરિંગ કરવા જતાં વ્યક્તિને કરંટ લાગતા મોત નીપજ્યું હતું.
 પ્રાપ્ત માહિતી અનુસાર ડેડીયાપાડા ચાર રસ્તા પાસે રહેતા મોહન ભાઇ શુભાષભાઇ ગુરવ (ઉ.વ ૪પ)ના ઘરની લાઈટ બંધ થઈ જતા લાઇટ ચાલુ કરવા માટે રીપેર કરતાં હતા તે દરમ્યાન તેમનો હાથ વીજ વાયરને અડી જતાં વીજ કરંટ લાગતાં તાત્કાલિક ડેડીયાપાડા સરકારી દવાખા ને ૧૦૮ એમ્બુલન્સમાં લઈ ગયા હતા પરંતુ ત્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કરતા ડેડીયાપાડા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે

(10:14 pm IST)