Gujarati News

Gujarati News

News of Saturday, 10th February 2018

બોડેલી પાર્સ નર્મદાની કેનાલમાં ઝંપલાવી પ્રેમી પંખિડાનો આપઘાત

રાજકોટઃ બોડેલી પાસે નર્મદા કેનાલમાં હજુ અઠવાડિયા પહેલા લગ્ન થયેલ મસાબાર (તા.જાંબુઘોડા)ની યુવતી અને પોપડીયા (બોડેલી)ના યુવાનને પ્રેમમાં નિષ્ફળતા મળતા બન્નેએ જપલાવ્યું હતું.

સવારે ૧૦-૩૦ વાગ્યાના સુમારે નર્મદા નહેર પર ડુમા ગામના પુલ બાઇક પર દફતર મુકી બંને જણે પોતાના ચંપલ ઉતારી નહેરમાં કુદકો માર્યો હતો. નજરે જોયુ હતું તેમ બ્રિજ પાસે ઉભેલા લોકો ચર્ચા કરતા હતા.

યુવતી સરસ્વતી બારીઆ (ઉ.વ.૧૯) બોડેલી કોલેજના પ્રથમ વર્ષમાં ભણતી હતી જ્યાં પરીક્ષાનું ફોર્મ ભરવા પિતા સાથે આવી હતી. કોલેજનું કામ કરતા થોડો સમય લાગશે તેમ જણાવ્યુ હતુ.જો કે પોપડીયાનો પ્રેમી યુવાન અજય બારીયા બાઇક લઇ આવ્યો હતો. જેની સાથે સરસ્વતી બેસી ગઇ હતી. બંનેએ કેનાલ પર ડુમાના પુલ પર ગાડી ઉભી રાખી હતી. જયાં નીચે બંનેના ચંપલ પણ પડેલા જણાયા હતા. ઉભેલી બાઇક પર દફતર મુકેલુ હતુ. બંનેએ નહેરમાં ભેગા જ છલાંગ લગાવી દીધી હતી. જેની તરવૈયાઓએ શોધખોળ આદરી હતી.

એક અઠવાડીયા પહેલાં જ યુવતીના લગ્ન થયા હતા. જે માટે તેના હાથે લાગેલી મહેંદીની ચમક હજી તેવી જ હતી તો પિતાના ઘરે લગ્નની જાન આવી ત્યારે થયેલા શરણાઇના સુરની ગુંજ હજી શમી ન હતી ત્યાં સરસ્વતીએ નહેરમાં છલાંગ લગાવી દીધીની ખબર આવી બતી. લગ્ન ગીતો જયા ગવાતા હતા ત્યાં જ મરશીયા ગવાતા ગમગીની ફેલાઇ હતી.

હજી બે સપ્તાહ પૂર્વે જ બોડેલીના તોરણીયા ગામે પ્રેમી પંખીડાઓએ સાથે જીવી ન શકતા ગળા ફાંસો ખાઇ મોત વ્હાલુ કર્યુ હતું. આ ઘટના બાદ ત્યાંજ બોડેલીથી પાંચ કિમી દૂર બીજી ઘટના બની હતી.   

(8:50 pm IST)