Gujarati News

Gujarati News

News of Monday, 10th January 2022

ભાજપના વધુ એક આગેવાન કુંવરજીભાઈએ કરી તાવ અને શરદીની ફરીયાદ: પ્રશિક્ષણ વર્ગમાં અનેક નેતા, કાર્યકરો હાજર હતા: મોટા પાયે કોરોના ફેલાવાનો ભય: પ્રશિક્ષણ વર્ગો તાકીદે બંધ કરવાની જરૂર

 

(વિજય વસાણી દ્વારા) આટકોટ: જસદણના ધારાસભ્ય અને પુર્વ કેબીનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાને તાવ અને શરદી થયા છે તેઓ પણ ધેલા સોમનાથ ખાતે યોજાયેલા ભાજપના પ્રશિક્ષણ વર્ગમા ડો.ભરત બોધરા સાથે ઉપસ્થિત હતા.

 જો કે કુંવરજીભાઈએ હજુ કોરોના રિપોર્ટ નથી કરાવ્યો પરંતુ પ્રાથમિક લક્ષણો જણાતા તેઓ હોમ આઈસોલેટ થયા છે સંભવિત તેઓ બપોર પછી રિપોર્ટ કરાવશે..

 મળતી વિગતો મુજબ પ્રશિક્ષણ વર્ગ માં સ્ત્રી મોહનભાઈ કુંડારીયા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર હતા અત્યારે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર ભાજપના પ્રશિક્ષણ વર્ગો ચાલી રહ્યા છે તેને તાત્કાલિક બ્રેક મારવાની જરૂર હોય તેવી લાગણી  જોવા મળે છે.

(12:39 pm IST)