Gujarati News

Gujarati News

News of Friday, 10th January 2020

નડિયાદ તાલુકાના ગુતાલ નજીક સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં આઇશર ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો: એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નડિયાદ:તાલુકાના ગુતાલ બ્રિજ પર ગતમોડી રાત્રીએ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આઇશર ચાલકનુ ઘટના સ્થળે મોત નિપજયુ હતુ. બનાવ અંગે બે આઇશર ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ગુતાલ બ્રિજ ઉપર નેશનલ હાઇવે નં- પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં એક આઇશર ચાલકે માર્ગ પર પસાર થતા મોટર સાયકલને અડફેટ મારી હતી.જેથી મોટર સાયકના ચાલકને શરીરે ઇજાઓ પહોચી હતી.જ્યારે આઇશર ચાલક ઘટનાસ્થળે આઇશર મુકી ફરાર થઇ ગયો હતો. સમયે રોડ પર પડેલી આઇશરને અન્ય એક આઇશરના ચાલકે ટક્કર મારી હતી.જેથી આઇશર ચાલક જયદિપસિંહ દિનદયાલસિંહ રહે,(મધ્યપ્રદેશ) ઘટના સ્થળે મૃત્યુ નિપજયુ હતુ. બનાવ અંગે હીરાભાઇ ઘેલાભાઇ ભરવાર રહે,ત્રાજ તા.માતરે નડિયાદ રૂરલ પોલીસ મથકે બંને આઇશરના ચાલક વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે નડિયાદ રૂરલ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

(5:17 pm IST)