Gujarati News

Gujarati News

News of Wednesday, 10th January 2018

‘‘પદમાવતી'' ફિલ્‍મ રિલીઝની પોસ્‍ટ મુકતા બે જૂથ વચ્‍ચે અમદાવાદના વાસદ તાલુકાના વડાલામા મારામારી : પથ્‍થરમારો

અમદાવાદ,તા.૧૦ : ‘‘પદમાવતી'' ફિલ્‍મ રીલીઝ થવાનો  સોશ્‍યલ મિડીયામાં મેસેજ મુકયા બાદ અમદાવાદના વાસદના વડાલામાં  જુથ અથડામણ થતા ૨ વ્‍યકિતને ઇજાગ્રસ્‍ત હાલતમાં સારવારમાં ખસેડેલ છે. આ બનાવ અંગે સામસામી પોલીસ ફરિયાદ થઇછે.વડાલા ગામે રહેતા પ્રવિણભાઈ મગનભાઈ વણકરના ભાઈ પ્રકાશ દ્વારા સોશ્યલ મિડીયા પર પદ્માવતિ ફિલ્મ અગામી 25 જાન્યુઆરીએ રજુ થવાની હોવાની પોસ્ટ મુકી હતી. જેથી ગામમાં રહેતા વંસરાજસિંહ જયવીરસિંહ, વિજય રમણસિંહ, વંશરાજના બે ભાઈ અને ભાણીયો અને ચીનો બોર ફળીયા વાળો તેમના ઘરે આવ્યા હતા. તેઓએ વાતનો ઠપકો કરતા સામે આવેલ 100 માણસોના ટોળાએ તેમના પરીવાર પર લાકડીઓ દ્વારા હુમલો કર્યો હતો. જેમાં તેમના પરીવારના બે મહિલા અને એક યુવાનને ઈજાઓ પહોંચી હતી.

સામે પક્ષે નિકુંજ જયવીરસિંહ રાજ દ્વારા ક્રોસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં ગઈ કાલે સોશ્યલ મિડીયા પર પ્રકાશ વણકર દ્વારા પદ્માવતિ ફિલ્મ રીલીઝ થવાની પોસ્ટ મુકાઈ હતી. જેમાં નિકુંજસિંહ તથા તેમના પરીવારના લોકો પ્રકાશના ઘરે ઠપકો આપવા ગયા હતા. સમયે પ્રવિણ,ઘનશ્યામ, પ્રવિણ વણકર દ્વારા તેઓ પર લોખંડીની પાઈપોથી હુમલો કર્યો હતો. હુમલામાં ગૌતમસિહ અને બીજા લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈસમોએ તેમના હાથમાં છુટા પથ્થરો લઈ તેઓ પર ફેંકતા બીજા લોકો પણ ઘાયલ થયા હતા. તમામ ઘટના બાદ વાસદ પોલીસ ઘટના સ્થળે પહોંચી મામલાને થાળે પાડયો હતો. બનાવને ૫ગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે.

(9:16 pm IST)