Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2022 પહેલા ચિંતા : ગાંધીનગરના સચિવાલયમાં કોરોનાની એન્ટ્રી

સામાન્ય વહીવટ વિભાગના સચિવ સંક્રમિત થતા અન્ય કર્મચારીઓ/અધિકારીઓમાં ભયની લાગણી

અમદાવાદ ;ઓમિક્રોન વાયરસની ભીતિ  વચ્ચે ગાંધીનગરના સચિવાલયમાં પણ કોરોનાની રિ-એન્ટ્રી થઇ છે. ગાંધીનગર સચિવાલયમાં સામાન્ય વહીવટ વિભાગના સચિવ કોરોના સંક્રમિત થયા છે. બરાબર એક મહિના પછી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ-2022ની સચિવાલયમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે, સામાન્ય વહીવટ વિભાગના સચિવ સંક્રમિત થતા અન્ય કર્મચારીઓ/અધિકારીઓમાં ભયની લાગણી ફેલાઈ છે. 

(10:17 pm IST)