Gujarati News

Gujarati News

News of Thursday, 9th December 2021

અમદાવાદના સોલા ઉમિયા કેમ્પસમાં શનિવારથી શિલાન્યાસ મહોત્સવ : નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ સંબોધન કરશે

(પ્રવિણ વ્યાસ દ્વારા)મોરબ,તા.૯: અમદાવાદના સોલા ઉમિયા કેમ્પસ ખાતે તા.૧૧ થી ૧૩ ડિસેમ્બર દરમિયાન ભવ્યાતિભવ્ય શિલાન્યાસ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.પાટીદાર સમાજ માટે અત્યંત મહત્વપુર્ણ રુપીયા ૧૫૦૦ કરોડના પ્રોજેકટ અંતર્ગત મા ઉમિયા માતાજીનું દિવ્ય અને ભવ્ય નાગરાદ શૈલીનું કલાત્મક કોતરણી ધરાવતું મંદિર નિર્માણ કરવામાં આવશે.સોલા ઉમિયા કોમ્પસ ખાતે ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ પુજય મણીભાઈ (મમ્મી),માનદમંત્રી દિલિપ નેતાજી,સોલા ઉમિયા કેમ્પસ પ્રોજેકટના ચેરમેન બાબુભાઈ જમનાદાસ પટેલ,પાટીદાર સમાજના દાનેશ્વરી સી કે પટેલ અને પ્રોજેકટના કન્વિનર તથા નાણાં કમિટિના ચેરમેન રમેશભાઈ પટેલ(દુધવાળા)એ મહત્વપુર્ણ માહિતી આપતાં કહ્યું હતું કે પીએમ નરેન્દ્રભાઇ મોદી વર્ચ્યુઅલ સ્પીચ આપશે.જયારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે.

કરોડો પાટીદારોના આરાધ્યદેવી મા ઉમિયા માતાજી

દેવાધીદેવ પ્રભુ શિવજીના અર્ધાંગીની અને કરોડો પાટીદારોના કુળદેવી-કરોડો શ્રધ્ધાળુઓના આરાધ્ય દેવી જગતજનની મા કુળદેવી ઉમિયા માતાજી ૧૮૬૬ વર્ષથી ઉંઝાના અત્યંત પૌરાણિક અને સુપ્રસિધ્ધ તિર્થસ્થાન-યાત્રાધામમાં જગતજનની મા ઉમિયા માતાજી બીરાજમાન છે.કડવા પાટીદારો શ્રધ્ધા અને આસ્થાથી મા ઉમિયા માતાજીની કુળદેવી તરીકે પુજા,આરાધના,સાધના અને ઉપાસના કરે છે.જયારે અન્ય જ્ઞાતીના કરોડો શ્રધ્ધાળુઓ જગતજનની મહાદેવી મા ઉમિયા માતાજીમાં આસ્થા અને શ્રધ્ધા ધરાવે છે.પાટીદારોના તિર્થસ્થાન અને આસ્થાનું કેન્દ્ર ગણાતા ઉંઝાના મા ઉમિયા માતાજી મંદિર માાજીનું પ્રાગટ્ય સ્થાન છે.દરવર્ષે લાખો શ્રધ્ધાળુ મા ઉમિયા માતાજીના ચરણોમાં શિશ ઝુકાવી ધન્ય ધન્ય બન્યાની અનુભુતી કરે છે.જે પૈકીના ૩૫ ટકા શ્રધ્ધાળુ અન્ય જ્ઞાતીના હોય છે.દેવાધીદેવ પ્રભુ શિવજીના અર્ધંગીની મા પાર્વતી એ જ મા ઉમિયા માતાજી છે.

સમાજ ઉથ્થાનનું કેન્દ્ર છે ઉમિયા માતાજી મંદિર

ઉંઝા ખાતેના તિર્થસ્થાન અને પ્રાગટ્ય સ્થાન મા ઉમિયા માતાજીનું મંદિર ધાર્મિક પ્રવ્રુત્ત્।ીની સાથે સમાજના ઉત્થાનનું કેન્દ્ર બની રહ્યું છે.સેવાકીય પ્રવ્રુત્ત્।ીઓ દ્વારા પાટીદારો જ નહીં પણ દરેક સમાજના લોકોના હિત માટેના કાર્યો કરવામાં આવે છે. મા ઉમિયા માતાજી મંદિરના ટ્રસ્ટીઓ ચિંતા અને ચિંતન સાથે સમાજ ઉથ્થાનના કાર્યો કરવામાં અગ્રેસર રહ્યા છે.સમાજની અન્ય ધાર્મિક સંસ્થાઓને પણ સમાજ ઉથ્થાનના કાર્યો કરવા માટે પ્રેરણારુપ બની રહી છે.

અંધશ્રધ્ધાઓ-કુરિવાજો અને ખોટી પરંપરાઓ સામે લોકજાગ્રુતિના કાર્યો

કડવા પાટીદારો કયારેય કુરિવાજ,ખોટી પરંપરાઓ કેઅંધશ્રધ્ધામાં માનતા નથી.અચરજની વાત એ છે કે કડવા પાટીદારોના આસ્થાનું કેન્દ્ર ગણાતા ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સૌપ્રથમ સમુહલગ્નનું આયોજન કરી અન્ય સમાજને પ્રેરણારુપ બની છે.આજે તમામ જ્ઞાતીના લોકો સમુહલગ્નના આયોજનો કરે છે.પાટીદારો કયારેય ભુવા,તાંત્રિક કે મેલી વિધ્યાઓમાં વિશ્વાસ ધરાવતા નથી.એટલે જ મા ઉમિયા માતાજી મંદિરમાં કોઈ તંત્રમંત્રને સ્થાન નથી.ખોટી પરંપરાઓ દુર કરવામાં મા ઉમિયા માતાજી સંસ્થાન હંમેશાં અગ્રીમ હરોળમાં રહી છે.દેશભરની સંસ્થાઓને સમુહલગ્નના આયોજન કરવા માટેની પ્રેરણા મા ઉમિયા માતાજી સંસ્થાએ આપી હતી.

૧૫૦૦ કરોડ રુપીયાનો અત્યંત મહત્વપુર્ણ પ્રોજેકટ

મા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા સોલા ઉમિયા કેમ્પસ ખાતેની ૭૪ હજાર ચોરસવાર જેટલી વિશાળ જમીન પર રુપીયા ૧૫૦૦ કરોડ રુપીયાના અત્યંત મહત્વપુર્ણ પ્રોજેકટ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો.પાટીદાર સમાજની નવી પેઢી માટે અત્યંત મહત્વપુર્ણ પ્રોજેકટને સાકાર કરવા માટે દાનેશ્વરી પાટીદાર શ્રેષ્ઠીઓ દ્વારા દાનનો સતત પ્રવાહ વહેતો કરવામાં આવ્યો છે.વર્ષો પહેલાં પાટીદાર સમાજના વડીલો-વડવાઓએ તેમની દિર્દ્યદ્રષ્ટી રાખીને સોલા ખાતે ૭૪ હજાર ચોરસવાર જમીન ખરીદ કરીને ઉમિયા કેમ્પસ શરુ કર્યું હતું.જયાં મા ઉમિયા માતાજીનું ભવ્ય અને દિવ્ય મંદિર નિર્માણ થઈ રહ્યું છે.પાટીદાર સમાજના તેજસ્વી દિકરા દિકરીઓ GPSC અને UPSC ની પરિક્ષાની તૈયારી કરી શકે તે માટે અત્યંત આધુનિક તાલીમ કેન્દ્ર માટે નવી ઈમારત નિર્માણ કરવામાં આવશે.૧૩ માળ ઉંચા બિલ્ડીંગમાં ૪૦૦ જેટલા રુમ હશે.જેમાં ૧૨૦૦ કરતાં પણ વધારે દિકરા-દિકરી રહીને તાલીમ લઈ શકશે.આધુનિક સુવિધા ધરાવતા બે બેન્કવેટ હોલ અને પાર્ટી પ્લોટનું નિર્માણ કરાશે.એક વિશ્રાંતિગૃહ સહિત ભોજનશાળા બનાવવામાં આવશે.જેમાં કોઈપણ જાતના નાતજાતના ભેદભાવ વગર તમામ જ્ઞાતીના લોકો માત્ર ૫૦ રૂપીયામાં શુધ્ધ,સાત્વિક અને સ્વાદિષ્ટ ભોજન આહાર પ્રાપ્ત કરી શકશે.પાટીદાર સમાજની દિકરી માત્ર એકરુપીયો ટોકન ફી ભરીને યુપીએસસી-જીપીએસસી ની તાલિમ મેળવી શકશે.પાટીદાર સમાજના દિકરા-દિકરીઓ વધારે માં વધારે સંખ્યામાં રાજય અને કેન્દ્ર સરકારના વિભાગોમા નોકરી મેળવે અને દેશની સેવાની તક મેળવે તે માટેના પ્રયાસો સંસ્થા દ્વારા કરવામાં આવે છે.રાજય સરકાર અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં કર્મચારી-અધિકારી તરીકે નિયુકતી પામે તે માટેના પ્રેરણાદાયી કાર્યો કરવામાં સંસ્થા અગ્રેસર છે.

ઉમિયાધામ સોલા વિકાસ પ્રોજેકટ સમિતિની રચના

મા ઉમિયા માતાજી સંસ્થાનના અધ્યક્ષ પુજય મણિદાદા(મમ્મી) માનદ મંત્રી દિલિપ નેતાજી તથા ટ્રસ્ટીમંડળના સભ્યોએ મા ઉમિયાધામ શિલાન્યાસ મહોત્સવ સમિતિની રચના કરવાનો નિર્ણય કર્યો હતો.જેમાં કન્વિનર તરીકે રમેશભાઈ પટેલ(દુધવાળા) તથા ચેરમેન તરીકે બાબુભાઈ જમનાભાઈ પટેલ (બીજેપી,ધારાસભ્ય,દસ્ક્રોઈ)ની નિમણું કરી પ્રોજેકટને સાકાર કરવા માટે શુભારંભ કર્યો હતો.ફંડ એકત્રીત કરવા માટે રમેશભાઈ દુધવાલાને નાણાં કમિટિના ચેરમેન તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં પણ રમેશભાઈ પટેલ(દુધવાળા)એ ફંડ એકત્રીત કરવામાં મહત્વપુર્ણ જવાબદારી સફળતાપુર્વક નિભાવી હતી.

ભવ્યાતિભવ્ય શિલાન્યાસ મહોત્સવની ઉજવણી

સોલા ઉમિયા કેમ્પસ ખાતે તા.૧૧ ડિસેમ્બરના રોજ શિલાન્યાસ મહોત્સવનું ધામધુમપુર્વક ઉદ્દદ્યાટન કરવામાં આવશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને રાજયપાલ દેવવ્રત આચાર્ય ના હસ્તે ઉદ્દદ્યાટન કરવામાં આવશે.શુભારંભમાં મુખ્યમંત્રી ભપેન્દ્રભાઈ પટેલ સહિતના રાજસ્વી મહેમાનો તથા દાનેશ્વરી પાટીદાર સમાજના દાતાશ્રીઓ ઉપસ્થિત રહેશે.

તા.૧૨ ડિસેમ્બરના રોજ નવચંડી મહાયજ્ઞનો શુભારંભ કરવામાં આવશે.વિજયધ્વજના યજમાન વાસુદેવભાઈ પટેલ,યજ્ઞકુંડના યજમાનો રામભાઈ ધરમશીભાઈ દોળુ પરિવાર,ગોવિંદભાઈ ગણેશભાઈ વરમોરા,ડો.માધુભાઈ મંગળભાઈ પટેલ,રમેશભાઈ કચરાભાઈ પટેલ,ગં.સ્વ.માંગીબેન મુળજીભાઈ ધોળુ પરિવાર,જયંતિભાઈ વિરચંદદાસ પટેલ,જતીનભાઈ ગોરધનભાઈ પટેલ અને ગીરીશભાઈ ડાહ્યાભાઈ પટેલ છે.જયારે મુખ્ય યજમાન બાબુભાઈ જમનાદાસ પટેલ (ધારાસભ્ય,દસ્ક્રોઈ,અમદાવાદ) છે.

શિલાપુજનના મુખ્ય યજમાન તરીકે બાબુભાઈ જમનાદાસ પટેલ રહેશે.જયારે યજમાન તરીકે જયંતિભાઈ સોમાભાઈ પટેલ,અરવિંદભાઈ ત્રિભોવનદાસ પટેલ,ગણેશભાઈ મોતીદાસ પટેલ,સી કે પટેલ,પ્રતાપભાઈ બુલાખીદાસ પટેલ,બાબુભાઈ કે પટેલ,પ્રહલાદભાઈ ્ંબાલાલ પટેલ,ગોવિંદભાઈ ગણેશભાઈ પટેલ,ડી ડી પટેલ,બાબુભાઈ નાથાભાઈ પટેલ,વિરેન્દ્રભાઈ અમ્રુતભાઈ પટેલ,શૈલેષભાઈ મોતીભાઈ પટેલ,કે આઈ પટેલ અને કીરીટભાઈ રામભાઈ પટેલ રહેશે.

તા.૧૩ ડિસેમ્બરના રોજ યોજાનારા શિલાપુજન કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ,મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે,અતિથી વિશેષ તરીકે કેન્દ્રીયમંત્રી પુરષોત્ત્।મભાઈ રૂપાલા,મનસુખભાઈ માંડવીયા અને પરેશભાઈ ધાનાણી ઉપસ્થિત રહેશે.ઉપરાંત પાટીદાર સમાજના શ્રેષ્ઠીઓ અને રાજસ્વી મહેમાનો ઉપસ્થિત રહેશે.આ પ્રસંગે ધર્માચાર્યો અને વિવિધ સંપ્રદાયના સંતો પણ ઉપસ્થિત રહી આશિર્વચન આપશે.

પ્રત્યેક પાટીદાર પરિવારની સહભાગીદારી

પ્રત્યેક પાટીદાર ભવ્યાતિભવ્ય મંદિર નિર્માણના પવિત્ર કાર્યમાં સહભાગી બને તે માટે રુપીયા ૫૦૦ ની હુંડી રજુ કરવામાં આવી છે.૫૦૦૦ રુપીયાના તામ્રપત્રનું લોન્ચીંગ કરાયું છે.ઉપરાંત માત્ર ૫૦૦ રુપીયા ભરી ઈંટદાન કરી શકશે.તામ્રપત્ર,હુંડી ખરીદવા ઈંટદાન અને માટે માટે પ્રત્યેક પાટીદાર પરિવારે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે.

યુવાનોને સોંપાઈ જવાબદારી

ભવ્યાતિભવ્ય શિલાન્યાસ મહોત્સવને સફળ બનાવવાની મોટી જવાબદારી યુવાપેઢીને સોંપવામાં આવી છે.વર્ષોના અમુભવા ધરાવતા વડીલોના માર્ગદર્શન હેઠળ પાટીદાર સમાજની યુવા ટીમ સેવા કાર્યો કરે છે.જેના કારણે યુવા ટીમને અનુભ પ્રાપ્ત થાય છે.યુવાઓમાં સમાજ પ્રત્યેની લાગણીના ભાવ વધારે દ્રઢ બને છે.ઉપરાંત મા ઉમિયા માતાજી પ્રત્યેની આસ્થા અને શ્રધ્ધા વધારે મજબુત બને છે.એકબીજા પ્રત્યે લાગણીના સંબંધો કેળવાય છે.જેના કારણે પાટીદાર સમાજમાં સંપ અને એકતા વધી રહી છે.

વિશ્વની શ્રેષ્ઠ પ્રજા તરીકે પ્રસ્થાપિત

ઉંઝા ખાતે વિશ્વના સૌથી મોટી બીજા નંબરના લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં માઈક્રોપ્લાનિંગ કરીને કાર્યક્રમને સફળતા મળી હતી.જેમાં ૩૦૦૦૦ હજાર કરતાં પણ વધારે સમર્પિત દિકરાદિકરીઓએ મા ઉમિયા માતાજી પ્રત્યે શ્રધ્ધા અને આસ્થા સાથે સ્વયં સેવક તરીકે સેવા કરી હતી.જેના કારણે કડવા પાટીદાર સમાજ વિશ્વની સર્વશ્રેષ્ઠ પ્રજા તરીકે પ્રસ્થાપિત થઈ હતી.લક્ષચંડી મહાયજ્ઞ મહોત્સવમાં પધારેલા દરેક રાજકીય મહાનુભાવો, ઉદ્યોગપતિઓ,મેનેજમેન્ટ ગુરૂઓએ માઈક્રોપ્લાનીંગથી પ્રભાવિત થઈને યુવા ટીમની શિસ્ત અને સંયમ સાથેના સેવાકાર્યોની બીરદાવ્યા હતા.

સમાજના ઉત્થાન માટે સતત ચિંતીત અને ચિંતન

મા કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા વિદ્યાસહાય આપવામાં આવે છે.આદ્યાત્મિકતા સાથે સમાજને સંસ્કારી બનાવવા તથા દુષણોથી મુકત રાખવા માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.વિધવા બહેનોને સહાય જેવી પ્રવૃત્ત્િ। કરવામાં આવે છે.મંદિર સંકુલમાં જ ઓછા ખર્ચો લગ્ન કરી આપવામાં આવે છે.સંસ્થા દ્વારા કુદરતી કે કૃત્રિમ આપત્ત્।ીના સમયે નાગરીકોને મદદ કરવામાં આવે છે.સંસ્થા સેવા કાર્યોમાં સદાય અગ્રેસર રહે છે.મંદિરમાં પણ દરરોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યાજવામાં આવે છે.

(10:45 am IST)