Gujarati News

Gujarati News

News of Monday, 9th December 2019

માફી તો ક્યારેય માંગીશ નહિં, આજે પણ નહીં અને કાલે પણ નહીં: જીજ્ઞેશ મેવાણી

વિધાનસભામાં ત્રણ દિવસ સસ્પેન્ડ બદલ કોઈ રંજ નથી

અમદાવાદ : વિધાનસભામાં જિગ્નેશ મેવાણીએ થાનગઢ ગોળીબાર મુદ્દે તેમણે વિરોધ કર્યો હતો. સતત ચેતવણી છતાં પણ બુમો પાડી વેલમાં ઘસી આવ્યા હતાં. આ મામલે અધ્યક્ષે જણાવ્યુ હતું કે મેવાણીનું વર્તન અયોગ્ય છે. મીડિયામાં આવવા માટે આવું વર્તન કરે છે. આથી મેવાણીને માર્શલે બોલાવી બહાર કાઢ્યા હતાં.

આ મામલે મુખ્યમંત્રી રૂપાણીએ 3 દિવસ સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી. તેમજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સીએમની માગને ટેકો આપ્યો હતો. મેવાણી ગૃહની માંફી માગે તેવી સીએમએ માંગ કરી હતી. તો આ તરફ મેવાણીએ સસ્પેન્ડ બદલ કોઇ જ રંજ ન હોવાનું જણાવ્યુ હતું. અને તેમણે જણાવ્યુ હતું કે માફી તો ક્યારેય માંગીશ નહિં. હું વિજય રૂપાણીને કહું છું કે હું આજે પણ નહીં અને કાલે પણ નહીં, હું ક્યારેય માફી નહીં માંગુ. મહત્વનું છે કે, આ મામલે જિગ્નેશ મેવાણીએ ટ્વિટ કરીને સરકાર પર પ્રહાર કર્યા હતા.

(9:42 pm IST)