Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

દીકરીના ઘરે જવા નીકળેલ ગળતેશ્વરની માતાનું માર્ગ અકસ્માતમાં મોત

ગળતેશ્વર:તાલુકાના અંબાવથી વમાલીમાં રહેતી પોતાની દિકરીને ત્યાં જવા નીકળેલી માતાનું માર્ગ અકસ્માતમાં મોત નિપજ્યું છે. થોડા દિવસ માટે પુત્રીની પુત્રી તેમના ત્યાં રહેવા આવી હતી. તેને મૂકવા જઈ રહ્યાં હતા ત્યારે આ ઘટના બની હતી.
મળતી માહિતી મુજબ ગળતેશ્વર તાલુકાના અંબાવમાં રહેતા ડાહ્યાભાઈ કરસનભાઈ હરિજનના પુત્રીના લગ્ન વમાલી ગામમાં થયા હતા. તેમની પુત્રીની પુુત્રી થોડા દિવસ માટે તેમને ત્યાં રહેવા આવી હતી. આજે સવારે દસ કલાકે ડાહ્યાભાઈ પત્નિ હીરાબેન (ઉં.વ.૫૫) આ કિશોરી ને મૂકવા માટે પિયાગો રિક્ષાનં. જીજે-૨૩ ડબલ્યુ -૫૦૭૫ માં બેસીને વમાલી જવા નીકળી હતી. આ રિક્ષા અંબાવ નજીક પલટી ખાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં હીરાબેનને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય મુસાફરોને નાની મોટી ઈજા થઈ હતી.
ઠાસરા પોલીસે ડાહ્યાભાઈ હરિજનની ફરિયાદના આધારે રિક્ષા ચાલક સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

 

(6:25 pm IST)