Gujarati News

Gujarati News

News of Saturday, 9th December 2017

મતદાન એક ધર્મઃ સુરત ગુરૂકુળના સંતોનું મતદાન

સાધુ સંતો તો બીજા પાસે દાન માંગતા હોય છે, સ્વીકારતા હોય છે. જેને પર સુખાર્થે વાપરતા હોય છે પરંતુ આજે ૯મી ડિસે.ના સંતો સ્વયં જ દાન કરવા પહોંચ્યા હતા. વેડ રોડ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ સુરતના શ્રી પ્રભુ સ્વામી ૧૫ જેટલા સંતો સાથે અંગત અને તે પણ ગુપ્તદાન કરવા નાજાવડ ગામ ખાતે આવેલ સરકારી પ્રાથમિક શાળામાં લાઇનમાં ઉભા રહી સુરત કતારગામ વિધાનસભા-૧૬૬માં કિંમતી મતનં દાન કરી રાષ્ટ્રભકિત અદા કરી રહ્યા છે. તેઓએ કહ્યું હતું કે, શાસન રાજધર્મ છે તો મત આપવો તે આપણો ધર્મ છે. તેમ પ્રભુસ્વામી જણાવે છે.

(12:43 pm IST)