Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

રાજ્યમાં કોરોનાના નવા 971 કેસ નોંધાયા : વધુ 993 દર્દીઓ સ્વસ્થ થયા:કુલ કેસનો આંક 1,81,670 થયો :કુલ 1,65,589 લોકોએ કોરોના સામે જંગ જીત્યો : વધુ 5 લોકોના મોત : મૃત્યુઆંક 3768 થયો

સૌથી વધુ સુરતમાં 189 કેસ,અમદાવાદમાં 183 કેસ, વડોદરામાં 129 કેસ, રાજકોટમાં 90 કેસ,મહેસાણામાં 45 કેસ ગાંધીનગરમાં 39 કેસ પાટણમાં 38 કેસ,બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 21`-21 કેસ,કચ્છમાં 20 કેસ અમરેલી અને દાહોદમાં 15-15 કેસ મોરબીમાં 14 કેસ નોંધાયા :રાજ્યમાં હાલ 12,313 એક્ટિવ કેસ

અમદાવાદ : કોરોના વાયરસ ધીમો પડતો હતો નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો થઇ રહ્યો હતો તેવામાં છેલ્લા બે દિવસથી  અચાનક નવા કેસમાં વધારો થઇ રહ્યો છે ત્યારે આજે રાજ્યમાં કોરોનાંથી વધુ 993 દર્દીઓ સાજા થયા છે જયારે રાજ્યમાં 971 નવા કેસ નોંધાયા હતા. રાજ્યમાં આજે વધુ 5 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3768 પર પહોંચ્યો છે

  . રાજ્યમાં હાલ 12,313 એક્ટિવ કેસ છે, જ્યારે 1,65,589 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં 64 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,249 લોકો  સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,81,670 સુધી  પહોંચી છે.

  રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, રાજકોટ કોર્પોરેશનમાં 2,અને મહેસાણામાં 1 મળીને કુલ 5 લોકોના મોત થયા હતા.

   રાજ્યમાં આજે નોંધાયેલા કોરોનાના નવા 971  કેસમાં સૌથી વધુ સુરતમાં 189 કેસ,અમદાવાદમાં  183 કેસ, વડોદરામાં 129 કેસ, રાજકોટમાં 90 કેસ,મહેસાણામાં 45 કેસ ગાંધીનગરમાં 39 કેસ પાટણમાં 38 કેસ,બનાસકાંઠા અને સુરેન્દ્રનગરમાં 21`-21 કેસ,કચ્છમાં 20 કેસ અમરેલી અને દાહોદમાં 15-15 કેસ મોરબીમાં 14 કેસ નોંધાયા છે

 આજે રાજ્યમાં 51,789 ટેસ્ટ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 65,19,943 ટેસ્ટ કરાયા છે રાજ્યમાં રિકવરી રેઈટ 91,15 થયો છે

(7:50 pm IST)