Gujarati News

Gujarati News

News of Monday, 9th November 2020

નોટાબંધી એ તઘલખી નિર્ણય :દેશવાસીઓને નુકશાન : જીડીપી ડાઉન અને બેરોજગારીનો દર 45 વર્ષની સૌથી ઊંચી સપાટીએ

નોટબંધીને ચાર વર્ષ પૂર્ણ : અમિત ચાવડા અને પરેશ ધાનાણીના કેન્દ્ર પર પ્રહાર : કાળુંનાણું તો નાબૂદ ના થયું પણ જેના પાસે કાળા નાણાં હતા એ સફેદ થયા

નોટબંધીને 4 વર્ષ પૂર્ણ થયા છે. વડાપ્રધાન ર મોદીએ ગત 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી જાહેર કરી હતી. આ અંગે આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પત્રકાર પરિષદ સંબોધતા મોદીના નોટબંધીના નિર્ણયને તઘલખી ગણાવ્યો હતો.

તેમણે જણાવ્યું કે, “આ નોટબંધીને કારણે દેશવાસીઓને નુકસાન જ થયું. જે વિશ્વાસ લોકોને આપ્યો હતો એનો વિશ્વાસઘાત કરાયો છે. કાળું નાણું પકડાશે એવું કહ્યું પણ માર્કેટમાં 15.44 લાખ કરોડ રૂપિયાની કરન્સી હતી, જેમાંથી 15.28 લાખ કરોડ રૂપિયા બેંકોમાં જમા થયું ગયું હતું. કાળુંનાણું તો નાબૂદ ના થયું પણ જેના પાસે કાળા નાણાં હતા એ સફેદ થયા. આ સિવાય નકલી નોટો ખતમ થશે તેવી દલીલ કરવામાં આવતી હતી, પણ આજે નકલી નોટો લાખોની સંખ્યામાં મળી રહી છે.

આ ઉપરાંત તેમને જણાવ્યું કે, ” જીડીપી ડાઉન ગયો અને બેરોજગારીનો દર 45 વર્ષની સૌથી ઊંચી સપાટીએ છે. આતંકવાદ નાબૂદ થશે એવો વાયદો કરાયો પણ એ પછી પણ પુલવામાં અને અન્ય હુમલાઓ થયા. 500 અને 1,000ની નોટો નાબૂદ કરીને 2000 ની નોટ બજારમાં લાવ્યા અને ભ્રષ્ટાચાર વધ્યો છે.

95 ટકા જનતા જે પ્રામાણિક રીતે ટેક્સ ભરે એમને તમે લાઈનમાં ઉભા રાખ્યા ને હેરાન કર્યા, કેટલાકના મોત થયા. સુરતમાં પી.વી.એસ. શર્માએ કહ્યું કે સૌથી મોટું કૌભાંડ આ નોટબંધીનું છે.એ.ડી.સી. અને અન્ય બેંકોમાં રાતોરાત મોટી સંખ્યામાં સુનિયોજિત રીતે ઓર્ગેનાઇઝ સ્કેમ હતું. આ નિર્ણયની સાથે મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી હેરાન પરેશાન છે.

દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે પણ કહ્યું કે આ લીગલાઈઝ બ્લન્ડર છે. અમારે ફાંસી તો નથી આપવી પણ જવાબદાર એવા તમે (મોદી) દેશની માફી માંગો. 50 દિવસના વાયદાઓ કર્યા એમાંથી કઇ થયું નથી, મોદીજી એ કહયું હતું કે મને 4 રસ્તા પર ફાંસી આપજો. પીએમ મોદીના ખોટા નિર્ણયને કારણે આજે સ્થિતિ ખરાબ થઈ.

(10:57 pm IST)