Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

અયોધ્યા ચુકાદો એ કોઈની હાર નથી કે કોઈની જીત નથી - વર્ષો જૂના વિવાદનો અંત છે - સૌ શાંતિ જાળવીએ અને એખલાસના વાતાવરણને વધુ મજબૂત બનાવીએ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

રાજકોટ : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સર્વોચ્ય અદાલતના પાંચ ન્યાયધીશોએ અયોધ્યા રામમંદિર અંગે આપેલા ચુકાદાને આવકારતા તેનું સન્માન કરીને અભિનંદન પાઠવ્યા છે.  શ્રી રૂપાણીએ આ ચુકાદા અંગેની પ્રતિક્રિયા આપતા કહ્યું કે છેલ્લા ઘણા વર્ષોથી જે પ્રશ્ન હતો તે પ્રશ્નના સંદર્ભમાં કોર્ટે ચુકાદો આપીને પ્રશ્નનો કાયમી અંત લાવી દીધો છે.

મુખ્યમંત્રી એ એવી પણ અપેક્ષા વ્યક્ત કરી કે દેશ અને ગુજરાતની તમામ સંસ્થાઓ - લોકો, આ નિર્ણયને સ્વીકારીને દેશની એકતા - અખંડિતતા વધુ મજબૂત કરશે. તેમણે રાજ્યના તમામ ધર્મના લોકો - નાગરિકોને અપીલ પણ કરી છે કે અયોધ્યા રામ મંદિરના આ નિર્ણયના સંદર્ભમાં સૌ શાંતિ જાળવીએ અને એખલાસના વાતાવરણને વધુ મજબૂત બનાવીએ.

 

(5:46 pm IST)