Gujarati News

Gujarati News

News of Saturday, 9th November 2019

સર્વ ધર્મ સમભાવ અને વસુધૈવ કુટુંબકમ્ની ભાવનાથી વર્તજો

કોંગી અગ્રણી ગૌરવ પંડયાનો અનુરોધ

વલસાડ તા.૯: સુપ્રીમ કોર્ટના આજના ચુકાદા બાદ કોઇ પણ ફેસલાને આવકારીને સમગ્ર દેશવાસીઓ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ ''સર્વ ધર્મ સમભાવ'' તથા 'વસુધૈવ કુટુંબકમ્'ની ભાવના ને આસ્થા રાખીને વર્તવા કોંગ્રેસના રાષ્ટ્રીય અગ્રણી ગૌરવ પંડ્યાએ અનુરોધ કર્યો છે.

શ્રી પંડયાના જણાવ્યા મુજબ આનંદ,ઉન્માદ કે નારાજગી અંગે જો યોગ્ય રિએકશન નહી આપીએ તો ઉભી થનારી પરિસ્થિતી સમગ્ર દેશવાસીઓ ભારે પીડાદાયક હશે.

કસોટીની આ છડીમાં  એક સાચા કોંગ્રેસી ભારતીય નાગરીકની જેમ કોઇ પણ પ્રકારની નફરત ને અટકાવવા અને હકારાત્મક રીતે આગળ વધવા તેમણે અપીલ કરી છે.

(11:47 am IST)