Gujarati News

Gujarati News

News of Friday, 8th November 2019

સુરતના ડીંડોલમાં પત્નીએ શાક તીખું બનાવતા ઝઘડો : પતિએ ગળેફાંસો ખાઈને કર્યો આપઘાત

રીક્ષા ચલાવી ગુજરાન ચલાવતા કૈલાશભાઈને માઠું લાગતા અંતિમ પગલું ભર્યું

સુરતના ડિંડોલમાં રહેતા 43 વર્ષીય કૈલાસ મહાજનને પત્ની સાથે તીખા શાકની બાબતે ઝઘડો થયા બાદ ઉશ્કેરાઈને તેમણે ગળે ફાંસો ખાઈ લેતા મોત થયું હતું.

    આ અંગેની વિગત મુજબ ડિંડોલીના શિવાજીપાર્કમાં રહેતા કૈલાસ ગણેશભાઈ મહાજને રાત્રે ઘરે હૂકમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. કૈલાસ મહાજનને પત્ની સાથે શાકના સ્વાદ બાબતે ઝઘડો થયો હતો.

  ડીંડોલી પોલીસના જણાવ્યા મુજબ તેમના પત્નીએ ફ્લાવરનું શાક તીખું બનાવતાં પતિ પત્ની વચ્ચે બોલાચાલી થઈ હતી. આ ઝઘડામાં માઠું લાગી આવતા કૈલાસ મહાજને આત્મહત્યા કરી હતી.

મૃતક કૈલાસભાઈને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. મૃતક કૈલાસભાઈ તે રિક્ષા ચલાવીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. ગઈકાલે રાત્રે પત્નીએ ફ્લાવરનું શાક તીખું બનાવતાં પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો તેમણે અંતિમ પગલું ભર્યું હતું.

    પતિ-પત્નીના નાના ઝઘડાઓ કેટલું મોટું અને ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. કૈલાસભાઈ તેમના બેડરૂમમાં છતમાં લાગેલા હૂક સાથે દોરડું બાંધી જીવન ટૂંકાવ્યું ત્યાં સુધી તેમના પરિવારને તેની જાણ થઈ નહોતી. આ ઘટના બાદ સુરતની ડીંડોલી પોલીસે વધારે તપાસ હાધ ધરી છે

(12:02 pm IST)