Gujarati News

Gujarati News

News of Friday, 9th November 2018

અમદાવાદમાં પરિણીતાના પ્રેમમાં પાગલ પ્રેમીએ તેમની પ્રેમીકાના પતિની કરી હત્યા : વસ્ત્રાપુર પોલીસે આરોપીની કરી ધરપકડ

અમદાવાદઃ શહેરમાં ગુનાઓની સંખ્યામાં વધારો થતો જાય છે. નવા વર્ષના દિવસે વસ્ત્રાપુર નજીક એક પ્રેમીએ તેની પ્રેમીકાના પતિની જાહેરમાં હત્યા કરી છે. નવા વર્ષના દિવસે દિલ્લુ નામના વ્યક્તિ પર છ લોકોએ હુમલો કરીને તેની હત્યા કરી દીધી હતી. 

આ ઘટનાની મળેલી માહિતી પ્રમાણે, શહેરના એસજી હાઈવે નજીક અંબીકા ચાલીમાં રહેતા દિલ્લુની પત્નીને તેનો કુટુંબનો એક વ્યક્તિ ભગાડી ગયો હતો. ત્યારબાદ દિલ્લુ પત્નીને પાછી મોકલવા માટે ભગાડી જનાર યુવકને વારંવાર આજીજી કરતો હતો. ત્યારબાદ ભગાડી જનાર યુવકે તેને ધમકી આપી કે, હવે તું ફોન કરીશ તો તારી હત્યા કરી નાખીશ. ત્યારે નવા વર્ષના દિવસે આરોપી તેના છ સાથીઓ સાથે આવ્યો અને દિલ્લુને કહ્યું કે, મને વારંવાર ફોન કેમ કરે છે, ત્યારબાદ તેને છરી મારી દીધી હતી. ત્યારબાદ આ ઈજાગ્રસ્ત યુવકનું મોત થયું હતું. આ ઘટના બાદ વસ્ત્રાપુર પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, દિલ્લુની હત્યા બાદ ઘટનાસ્થળે લોકોના ટોળે-ટોળા ભેગા થઈ ગયા હતા. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા. તેને ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. હાલ આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:31 pm IST)