Gujarati News

Gujarati News

News of Saturday, 9th October 2021

'મારી બેન સાથે કેમ ઝઘડો કરે છે?' : કહીને બનેવીની છાતીમાં છરીના ઘા ઝીકી હત્યા : અમદાવાદનો કિસ્સો

બહેન સાથે રૂપિયા માટે ઝઘડો કરતો હતો તે બાબતની જાણ થતા શાળાએ કરી હત્યા : પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી લીધો

અમદાવાદઃ અમદાવાદના વટવા વિસ્તારમાં સાળાએ જ બનેવીને છરીના અનેક ઘા મારીને મોતને ઘાટ  ઉતાર્યો હતો. જોકે, પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને પકડી પાડ્યો હતો. પોલીસની પૂછપરછમાં આરોપી સાળાએ હત્યા પાછળનું ચોંકાવનારું કારણ વ્યક્ત કર્યું હતું. સાળાએ જણાવ્યું હતું કે, બહેન સાથે રૂપિયા માટે ઝઘડો કરતો હતો અને એ વાતની જાણ બહેને ભાઈને કરી હતી. જેની અદાવત રાખીને સાળાએ બનેવીની હત્યા કરી ફરાર થઈ ગયો હતો.

ઘટના અંગે પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વટવા વિસ્તારમાં રહેતા રંજનબેન સુરેશ મારવાડીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેના પતિ સુરેશભાઈને તેનો ભાઈ લોહીલુહાણ હાલતમાં ઘર પાસે નાખીને જતો રહ્યો હતો. સુરેશભાઈને ખૂબ લોહી નીકળ્યું હતું જે કારણે તેમનું મોત નીપજ્યું હતું. રંજનબેનનો ભાઈ મુકેશ ડાભીએ તેના બનેવીની તિક્ષ્‍ણ હથિયારના ઘા ઝીંકીને ઘર પાસે નાખી ગયો હતો.
જેમાં મુકેશ ડાભીને થોડા દિવસ અગાઉ રંજનબેને કહ્યું હતું કે, તારા બનેવી સુરેશની આવક સારી નથી અને રૂપિયા બાબતે સતત ઝઘડો કરે છે. જે વાત મુકેશે સુરેશભાઈને કહીને ઝઘડો કર્યો હતો. આ દરમિયાન મુકેશે 'મારી બેન સાથે કેમ ઝઘડો કરે છે?' કહીને પોતાની પાસેના હથિયારના ઘા સુરેશભાઈની છાતીમાં મારી દીધા હતા. જેમાં સુરેશનું લોહી વહી જતા મોત નીપજ્યું હતું. આ અંગે પોલીસે હાલ મુકેશની ધરપકડ કરી છે.

(9:41 pm IST)