Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

ઘણા પરપ્રાંતિયોએ એક મહિના પહેલા રેલવે ટિકીટ બુક કરાવી હતી: કલેકટર

પરપ્રાંતીયોની રેલવે સ્ટેશને રૂબરૂ મુલાકાત બાદ વિક્રાંત પાંડેનો દાવો

અમદાવાદ રેલવે સ્ટેશને કલેકટર વિક્રાંત પાંડે દ્વારા રૂબરૂ મુલાકાત લઇને પરપ્રાંતિય સાથે વાતચીત કરી હતી,જેમાં પરપ્રાંતિયો શા માટે તેમના વતન જઇ રહ્યા છે તેના કારણે કલેકટરે જાતે વાતચીત કરીને જાણ્યા હતા.

  કલેકટરે બાદમાં મીડિયા સાથે વાતચીત કરતા દાવા કર્યા હતા કે લોકો વિવિધ પ્રશ્નોને લઇને પોતાના વતન જઇ રહ્યા છે. અને સાથે કલેકટરે એવો પણ દાવો કર્યો કે હાલમાં વતન જનારા ઘણા પરપ્રાંતિયોમાં ઘણા એવા છે જેઓએ 1 મહિના પહેલા પોતાની રેલવે ટિકીટ બુક કરાવી હતી.

(10:43 pm IST)