Gujarati News

Gujarati News

News of Tuesday, 9th October 2018

સ્વાઈન ફ્લુનો આંતક હજુ યથાવત જારી : વધુ ૪ મોત

ગાંધીનગરમાં વધુ બેના મોત : રાજકોટ અને જામનગરમાં સારવાર હેઠળ રહેલા બેના મોત : ૫૮ નવા કેસો નોંધાયા : સ્વાઈન ફ્લુના કેસોની સંખ્યા ૧૦૮૪થી ઉપર

અમદાવાદ, તા.૯ : સ્વાઈન ફ્લુના કારણે ભારે હાહાકાર જારી રહ્યો છે. આજે વધુ ચાર લોકોના મોત થયા હતા. જે પૈકી ગાંધીનગરમાં છેલ્લા ૨૪ કલાકમાં બેના મોત થયા હતા જ્યારે રાજકોટ અને જામનગરમાં સારવાર હેઠળ રહેલા બે દર્દીઓના મોત થયા હતા. મોતનો આંકડો વધીને ૩૪ ઉપર પહોંચી ચુક્યો છે. હજુ પણ ૩૯૮ લોકો સારવાર હેઠળ છે. બીજી બાજુ અમદાવામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૪ નવા કેસ સપાટી ઉપર આવ્યા છે. નવા નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. અમદાવાદની વાત કરવામાં આવે તો શહેરની હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લુના ઓક્ટોબર મહિનામાં જ અનેક નવા કેસો નોંધાઈ ચુક્યા છે. આ કેસોની સંખ્યા પહેલી સપ્ટેમ્બરથી લઇને હજુ સુધી ૪૩૭થી પણ ઉપર પહોંચી ચુકી છે. જ્યારે ગુજરાતમાં સ્વાઈન ફ્લુના કારણે મોતનો આંકડો સપ્ટેમ્બર બાદ ૩૪ ઉપર પહોંચ્યો છે જ્યારે આ વર્ષે હજુ સુધી ૪૫ના મોત થઇ ચુક્યા છે. અમદાવાદ શહેરમાં મોત થવા માટેના કારણોમાં પુરતી સુવિધાનો પણ અભાવ દેખાઈ રહ્યો છે. પહેલી સપ્ટેમ્બર બાદથી રાજ્યમાં સ્વાઈન ફ્લુના ૧૦૮૪થી પણ વધુ કેસો નોંધાઈ ચુક્યા છે. સ્વાઈન ફ્લુના આંકડાઓને લઇને વિરોધાભાષી અહેવાલ આવી રહ્યા છે. આંકડા છુપાવવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ પણ થઇ રહ્યા છે. ગુજરાત સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વાઈન ફ્લુના જુદા જુદા આંકડા આપવામાં આવી રહ્યા છે જેથી મિડિયામાં પણ સ્વાઈન ફ્લુના કેસોના આંકડા જુદા જુદા નોંધાઈ રહ્યા છે. વડોદરા, સુરતની સાથે સાથે અમદાવાદ શહેરમાં પણ સ્વાઈન ફ્લુના અનેક કેસો નોંધાઈ ચુક્યા છે. રાજ્યભરમાં સેંકડો કેસો નોંધાયા છે અને મોટી સંખ્યામાં હાલ લોકો સારવાર હેઠળ છે. જુદા જુદા વિસ્તારોમાં સ્વાઈન ફ્લુને રોકવા માટે બનતા તમામ પગલા લેવામાં આવી રહ્યા હોવા છતાં કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. જરૂરી દવાનો જથ્થો પણ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં જ સ્વાઈન ફ્લુના ૫૮ કેસ સપાટી ઉપર આવી ચુક્યા છે. મોનસુનની સિઝન પૂર્ણ થયા બા સ્વાઈન ફ્લુના ૭૮૬ કેસટેસ્ટ પોઝિટિવ કેસ નોંધાઈ ચુક્યા છે.

સ્વાઈન ફ્લુનો આતંક....

અમદાવાદ, તા. ૯ : ગુજરાતભરમાં સ્વાઈન ફ્લુનો આતંક જારી રહ્યો છે. સ્વાઈન ફ્લુના કારણે વધુ ચારના મોત થયા છે. સેંકડો સ્વાઈન ફ્લુ ગ્રસ્ત દર્દી હજુ સારવાર હેઠળ છે. જુદા જુદા વિસ્તારોમાં પુરતી સારવાર આપવામાં આવી રહી છે. કિલર બનેલા સ્વાઈન ફ્લુનો આતંક નીચે મુજબ છે.

કુલ કેસોની સંખ્યા........................................ ૧૦૮૪

વધુ મોત......................................................... ૦૪

સપ્ટેમ્બર મહિનામાં મોત................................... ૧૮

કુલ મોતની સંખ્યા............................................ ૪૫

અમદાવાદમાં નવા કેસ..................................... ૨૪

૨૪ કલાકમાં કેસો નોંધાયા................................. ૫૮

દર્દી સારવાર હેઠળ............................... ૩૯૮થી વધુ

 

(8:48 pm IST)