Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

અમદાવાદ : ઝાડા ઉલ્ટીના ૭ દિવસમાં ૧૧૩ કેસ થયા

કમળાના ૭૪ અને ટાઇફોઇડના ૧૬૮ કેસો : અમદાવાદ મ્યુનસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગ દ્વારા જોરદાર કાર્યવાહી : ગંદગીના લીધે કેસોમાં વધારો નોંધાયો

અમદાવાદ, તા.૯ : અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના નવા કેસો સપાટી પર આવ્યા છે. સપ્ટેમ્બર ૨૦૧૮ની સરખામણીમાં ૭મી સપ્ટેમ્બર ૨૦૧૯માં હજુ સુધી મચ્છરજન્ય કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના ઓગસ્ટ મહિનામાં ૧૫૯ કેસ નોંધાયા છે જ્યારે ઝેરી મેલેરિયાના ૫ અને ડેંગ્યુના ૧૦૪ કેસો સપાટી ઉપર આવ્યા છે. સપ્ટેમ્બરમાં સાત દિવસમાં ઝાડાઉલ્ટીના ૧૧૩ કેસો સપાટી ઉપર આવી ચુક્યા છે. કમળાના ૭૪ અને ટાઇફોઇડના ૧૬૮ કેસ નોંધાઈ ચુક્યા છે. હાલમાં પડેલા હળવા વરસાદના કારણે જુદા જુદા ક્ષેત્રોમાં ગંદગી અને કાદવ-કીચડના પરિણામ સ્વરુપે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસોમાં વધારો થયો છે. સપ્ટેમ્બર માસના ગાળામાં હજુ સુધી ઝાડા ઉલ્ટીના ૧૧૩ કેસ નોંધાઈ ચુક્યા છે.

        અલબત્ત કોલેરાના કેસોને રોકવામાં તંત્ર સફળ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા રોગચાળાને રોકવા માટે મોટાપાયે વિવિધ વિસ્તારોમાં ક્લોરિન ગોળીઓનું વિતરણ કર્યું છે જેમાં ૧૪૨૪૮ ક્લોરિન ગોળીઓનું વિતરણ ઓગસ્ટ મહિનામાં કરવામાં આવ્યું છે. બેક્ટોરિયોલોજીકલ તપાસ માટે ૩૫૧ પાણીના નમૂના લેવામાં આવ્યા છે. વહીવટી દંડ ફટકારીને પણ અસરકારક કામગીરી જુદા જુદા વિસ્તારમાં હાથ ધરવામાં આવી છે. પાણીના અનફિટ સેમ્પલોની સંખ્યા તપાસ કરવામાં આવ્યા બાદ ૨૩ નોંધાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ઓગસ્ટ સુધીમાં લોહીના હજારોની સંખ્યામાં નમૂનાની તપાસ કરવામાં આવી ચુકી છે. આવી જ રીતે સપ્ટેમ્બર ૨૦૧૮ની સરખામણીમાં ૭મી સપ્ટેમ્બર ૨૦૧૯ સુધીમાં ૩૬૭ જેટલા સિરમ સેમ્પલો લઇને તપાસ કરવામાં આવી રહી છે. લોકોને જાગૃત કરવાના પ્રયાસો પણ તંત્ર તરફથી કરવામાં આવી રહ્યા છે. મચ્છરજન્ય વિસ્તારોમાં ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. મેલેરિયા રોગચાળાને રોકવામાં સફળતા મળી છે.

રોગચાળાનું ચિત્ર.....

અમદાવાદ, તા.૯ : અમદાવાદ શહેરમાં રોગચાળાને રોકવા માટે વિવિધ પગલા લેવામાં આવ્યા છે જેના લીધે કેસોની સંખ્યામાં ઘટાડો થયો છે પરંતુ કેસોની સંખ્યા અટકી રહી નથી. અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગના કેસ નીચે મુજબ છે.

મચ્છરજન્ય કેસો

વિગત

સપ્ટેમ્બર-૨૦૧૮

સપ્ટેમ્બર-૨૦૧૯

સાદા મેલેરીયાના કેસો

૯૭૪

૧૫૯

ઝેરી મેલેરીયાના કેસો

૧૩૮

૦૫

ડેન્ગ્યુના કેસો

૮૯૯

૧૦૪

ચીકુનગુનિયા કેસો

૩૦

૦૨

પાણીજન્ય કેસો

 

 

ઝાડા ઉલ્ટીના કેસો

૩૫૭

૧૧૩

કમળો

૩૪૯

૭૪

ટાઈફોઈડ

૩૮૦

૧૬૮

કોલેરા

૦૭

૦૦

આરોગ્ય વિભાગના પગલા

અમદાવાદ, તા.૯ : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્તમાન મહિનામાં રોગચાળાને રોકવા માટે જે પગલા લેવાયા છે તે નીચે મુજબ છે.

ક્લોરિન ટેસ્ટ............................................... ૨૯૪૪

ક્લોરિન નિલ.............................................. ૨૫

બેક્ટેરીયોલોજીક તપાસ માટે નમૂના................... ૩૫૧

પાણીના અનફીટ સેમ્પલની સંખ્યા.................... ૨૩

ક્લોરીન ગોળીઓનું વિતરણ............................ ૧૪૨૪૮

વહીવટી ચાર્જ............................................... ૪૭૮૪૫૦

(10:13 pm IST)