Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

વડોદરાના માંજલપુરમાં ગણપતિના મુદ્દે બે ભાઈઓ બાખડ્યા: સામસામે હુમલો કરી ઇજા પહોંચાડતા પોલીસ ફરિયાદ દાખલ

વડોદરા:માંજલપુર સીતાબાગ ગરબા ગ્રાઉન્ડ પાસે પાટીલ હવેલીમાં રહેતા બે સગાભાઇઓ વચ્ચે ગણપતિના મુદ્દે મારામારી થઇ હતી. જે અંગે મકરપુરા પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોધાઇ છે.

આ અંગેની વિગત એવી છે કે, માંજલપુર સીતાબાગ ગરબાગ્રાઉન્ડ પાસે પાટીલ હવેલીમાં રહેતો સંદિપ દિનેશભાઇ પાટીલ સાવલી ખાતે શ્રી પાર્થ ઓઇલ નામની રિફાઇનરી ચલાવે છે. ગત તા.છઠ્ઠીના રાત્રે ઘરે સ્થાપિત કરેલા ગણપતિની આરતી કરીને પરિવાર સાથે ટીવી જોતો હતો. રાત્રે બાર વાગ્યે પાડોશમાં રહેતા કાકા પ્રકાશભાઇ પાટીલ અન તેમનો પુત્ર સન્ની સંદિપના ઘરે આવી જોરજોરથી જાળી ખખડાવી ગાળો આપી સંદિપના પિતાની ફેંટ પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

(5:24 pm IST)