Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

અંકલેશ્વરમાં કોમી એકતાના દર્શનઃ એક જ મંડપમાં તાજીયા અને ગણ‌પતિની સ્થાપના

અંકલેશ્વરઃ હાલ સમગ્ર ભારતમાં ગણેશ મહોત્સવની ઉજવણી થઈ રહી છે ત્યારે પાછલા બે વર્ષથી મુસ્લિમ ધર્મના પવિત્ર તહેવાર તાજીયા અને હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર ગણેશ મહોત્સવ એક સાથે હોવાના કારણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના તાર ફળિયા વિસ્તારમાં એક જ મંડપમાં તાજિયા અને ગણપતિની સ્થાપના થતાં શહેરીજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને હજારોની સંખ્યામાં આ દ્રશ્યને જોવા ઉમટી પડ્યા હતા ત્યારે સ્થાનિકો ના જણાવ્યાનુસાર પાછલા બે વર્ષથી તાજીયા અને ગણપતિ સાથે હોવાથી ભાઈચારાની અને કોમી એકતાની મિશાલ કાયમ રાખવા માટે અંકલેશ્વરના તાર ફળિયા વિસ્તારમાં ગણપતિ અને તાજીયા સાથે બેસાડવામાં આવે છે.

(5:15 pm IST)