Gujarati News

Gujarati News

News of Thursday, 9th August 2018

વડોદરાના મકરપુરામાં 22 વર્ષીય એન્જીનીયરે આપઘાત કરતા અરેરાટી

વડોદરા:શહેરના મકરપુરા દંતેશ્વર વિસ્તારમાં ૨૨ વર્ષના એન્જિનિયરિંગના વિદ્યાર્થીએ પોતાના ઘરમાં ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. પિતા કોન્ટ્રાક્ટર હોવાથી કામ પર ગયા હતા અને માતા હોસ્પિટલમાં ગઇ હતી આ દરમિયાન ઘરમાં કોઇ હતુ નહી અને વિદ્યાર્થીએ મોતને વ્હાલું કરી લીધું હતું. દેતેશ્વરમાં દર્શનમ એન્ટિક એપાર્ટમેન્ટમાં રહેતા સંજીવકુમાર સહાનીનો ૨૨ વર્ષનો પુત્ર આસુતોષ પારૂલ ઇન્સ્ટિટયૂટમાં ડિપ્લોમાં એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો જો કે બે વર્ષ પહેલા તેણે અભ્યાસ છોડી દીધો હતો. આજે સવારે સંજીવકુમાર કામ પર ગયા હતા જ્યારે આસુતોષની માતા બીમાર હોવાથી હોસ્પિટલ ગયા હતા અને નાનો ભાઇ કોલેજ ગયો હતો ત્યારે આસુતોષે કોઇ અગમ્ય કારણોસર ઘરમાં પંખાના હૂક પર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. બપોરે ૧૨.૩૦ વાગ્યાના અરસામાં તેની માતા પરત ફરતા ઘરનો દરવાજો ખુલો હતો અને અંદર જતાં પુત્રને લટકતો જોઇને ચીસ પાડી હતી. પડોશીઓ દોડી આવ્યા હતા અને આસુતોષને તુરંત ફાંસા પરથી ઉતારીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. મકરપુરા પોલીસે કહ્યું હતું કે આસુતોેષે અભ્યાના ટેન્શનના કારણે આ પગલુ ભર્યું હોય તેવુ બની શકે છે.
 

(5:46 pm IST)