Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

વડોદરાના વાઘોડિયા રોડ નજીક મધ્યરાત્રીએ અગમ્ય કારણોસર પરિણીતાએ ફાસો ખાઈ જીવનલીલા સંકેલતા અરેરાટી

વડોદરા: શહેરના વાઘોડિયા રોડ પર રહેતી પરિણીતાએ મોડીરાતે ઘરે ઓઢણી વડે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.પતિએ ઠપકો આપતા પરિણીતાએ આવેશમાં આવીને આપઘાત કર્યો હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે.

વાઘોડિયા રોડ ગાયત્રી મંદિરની સામે એકતાનગરમાં રહેતા પંકજ ગોપાલભાઇ દેવીપુજક શાકભાજીનો વેપાર કરે છે.તેમની પત્ની રત્નાબેને ગઇકાલે મોડીરાતે સાડા બાર વાગ્યે ઘરે હુક પર ઓઢણી બાંધી ફાંસો ખાધો હતો.જે અંગે તેના  પતિએ પાણીગેટ પોલીસને જાણ કરી હતી.પોલીસની પ્રાથમિક તપાસમાં એવી વિગતો જાણવા મળી હતી કે,પંકજ અને રત્નાને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે.ગઇકાલે તેમના નાના પુત્રના હાથમાં સોય આવી ગઇ હતી.અને સાંજે તેમનો પુત્ર પાણીમાં પલળ્યો હતો.જેથી,પતિએ પત્નીને ઠપકો આપ્યો હતો.આ કારણે જ રત્નાબેને ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હોવાનું  પોલીસનું અનુમાન છે.જોકે,પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 

(5:23 pm IST)