Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

કોરોના મહામારી અને કર્ફયુના કારણે આ વખતે સતત બીજા વર્ષે અમદાવાદમાં ભગવાન જગન્‍નાથજીના મોસાળ સરસપુરમાં 1 લાખ ભાવિકો માટે યોજાતો જમણવાર બંધ રહેશે

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના કાળમાં ભગવાન જગન્નાથની બીજી રથયાત્રા યોજાશે. જો કે, ગત વર્ષે ભગવાનના રથ મંદિરના પરિસરમાં જ ફર્યા હતા. ત્યારે આ વર્ષે કોરોનાના કેસો ઓછા થતા સરકાર દ્વારા કોરોના ગાઈડલાઈન પ્રમાણે રથયાત્રા યોજવા માટેની પરવાનગી આપી છે. જે રૂટ પરથી રથ નીકળશે તે તમામ રૂટ પર કર્ફ્યુ લાદવામાં આવશે. જેના કારણે ભક્તો રથયાત્રામાં નહિ જોડાય અને મોસાળ સરસપુરમાં દર વર્ષે થતો 1 લાખ કરતાં વધુ ભક્તોનો જમણવાર પણ યોજાશે નહિં.

સરસપુર ખાતે ભગવાન જગન્નાથના મોસાળમાં જયારે પણ રથ પહોંચે છે ત્યારે રથમાં જોડાયેલા તમામ લોકોને સરસપુરની જુદી જુદી પોળમાં જમણવાર રાખવામાં આવે છે. એક અઠવાડિયા પહેલાથી જ તમામ પ્રકારની તૈયારીઓ શરુ કરી દેવામાં આવતી હોય છે. પરતું આ વખતે જમણવાર નહિં યોજાય.

ગત વર્ષે પણ કોરોનાને કારણે રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઈ હોવાથી મોસાળમાં જમણવાર યોજાયો નહોતો. જ્યારે આ વર્ષે રથયાત્રા યોજાશે, પરંતુ જમણવાર નહિં યોજાઈ. આ રથયાત્રામાં પોલીસ, ખલાસી, નક્કી કરેલ વ્યક્તિઓ જ હાજર રહેશે અન્ય કોઈ પણ વ્યક્તિ રથયાત્રામાં ભાગ લઈ શકશે નહિં, જેના કારણે મોસાળમાં પણ કર્ફ્યુ રહેશે. જેથી તમામ પોળમાં થતાં રસોડા પણ બંધ રહેશે.

(5:07 pm IST)