Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા લેશે જગન્નાથ મંદિરની મુલાકાત

મંદિર ટ્રસ્ટ તથા પોલીસ તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા અને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરશે.

અમદાવાદ : શહેરની પરિક્રમાએ ભક્તજનોને દર્શનાર્થે દર વર્ષે નીકળતી રથયાત્રાને સરકાર તરફથી આજે મંજુરી આપવામાં આવી છે. આ 144મી રથયાત્રાને લઇને આવતીકાલે શુક્રવારે સવારે રાજયના ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરની મુલાકાત લેશે. મંદિર ટ્રસ્ટ તથા પોલીસ તંત્ર દ્વારા કરાયેલી તૈયારીઓની સમીક્ષા અને રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરશે.

કોવીડ 19 ના પ્રોટોકોલ પ્રમાણે રથયાત્રા નીકળવાની છે ત્યારે ગૃહરાજ્યમંત્રી પ્રદિપસીંહ જાડેજા મંદિરની મુલાકાત લઈ તમામ તૈયારીઓની સમીક્ષા કરશે. જગન્નાથ મંદિર ટ્ર્સ્ટ દ્વારા કોવીડ પ્રોટોકોલ અને અન્ય વ્યવસ્થાઓ સાથે નીકળનારી યાત્રા તથા પોલીસ તંત્ર દ્વારા કરાયેલ સુરક્ષા બંદોબસ્તનું પ્રેઝન્ટેશન પણ નિહાળશે. ત્યારબાદ યાત્રા જે રુટ પર નીકળવાની છે તે રૂટ પર સરસપુર અને દરિયાપુર એમ બે સ્થળોની જાત-મુલાકાત સહિત સમગ્ર રૂટનું નિરિક્ષણ પણ કરશે. ગૃહરાજ્યમંત્રી સાથે રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ આ રુટ નિરિક્ષણમાં જોડાશે

(10:54 pm IST)