Gujarati News

Gujarati News

News of Friday, 9th July 2021

મુખ્યમંત્રીના એડિશનલ પી. આર. ઓ હિતેશભાઈ પંડ્યાની ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજના અખિલ ભારતીય પ્રમુખ પદે થયેલી વરણી

બ્રહ્મસમજના ૧૪ વર્ષ નું ફરજ બાદ ફરીથી ૧૫માં વર્ષે અખિલ ભારતીય પ્રમુખ પદે પુનઃ નિયુક્ત કરતા બ્રહ્મસમાજમાં હરખની હેલી : મૂળ રાજકોટના વાતની હિતેશભાઈ ગાંધીનગર સ્થાઈ થાય બાદ સને ૨૦૦૧ થી મુખ્યમંત્રીના અધિક જન સંપર્ક અધિકસક તરીકે ફરજ બજાવી રહ્યા છે. : સામાજિક ક્ષેત્રે કાર્યરત ઇન્ડિયન લાઇન્સ ક્લબ સાથે ૧૯૯૮થી હિતેશભાઈ જોડાયેલા છે : હાલ તેઓ ચિફપેટ્રોનનો હોદો ધરાવે છે : હિતેશભાઈના નેતૃત્વ હેઠળ કાર્યરત ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ સંગઠન ગાંધીનગરને એવૉર્ડ પણ મળેલ.

ગાંધીનગર : અખિલ ભારતીય ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજની તા. ૪થી જુલાઈએ જૂનાગઢમાં મળેલી વાર્ષિક સામાન્ય સભાએ ગાંધીનગર એકમના પ્રમુખ અને મુખ્યમંત્રીના એડિશનલ પી. આર. ઓ હિતેષભાઈ પંડ્યાની અખિલ ભારતીય પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરી છે.

ગુજરાત ઉપરાંત ભારતના મુંબઈ, ચેન્નાઈ, પૂના, નાસિક, દિલ્હી, કર્ણાટક, કેરળ, કલકત્તા, રાજસ્થાન સહિતના રાજ્યોમાં અને આફ્રિકા, લંડન, યુરોપ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં પણ વસતા ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણોના સંગઠન અખિલ ભારતીય ઔદિચ્ય ગઢિયા બ્રહ્મસમાજ ફેડરેશનની વાર્ષિક સામાન્ય સભા જૂનાગઢ મુકામે ઔદિચ્ય ગઢિયા બ્રહ્મ સમાજની વાડીમાં તા. ૦૪/૦૭/૨૦૨૧ને રવિવારે મળી હતી. વિદાય લઈ રહેલા. પ્રમુખ  કિશોરભાઈ મહેતાના પ્રમુખ સ્થાને મળેલી આ સભામાં કોરોનાની GUDELINES અને PROTOCOL મુજબ પ્રતિનિધિઓ ઉપસ્થિતિ રહ્યા હતા. આ સભામાં હિતેષભાઈ પંડ્યાની ફેડરેશનના અખિલ ભારતીય પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરી હતી.

હિતેષભાઈ પંડ્યા રાજકોટના વતની છે અને ૨૦૦૧ થી ગાંધીનગર વસ્યા છે અને ૨૦૦૧થી તેઓ મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી તરીકે સેવા બજાવી રહ્યા છે.  અને સ્વ. કેશુભાઈ પટેલ, નરેન્દ્રભાઈ મોદી, આનંદીબેન પટેલ, વિજયભાઈ રૂપાણી સાથે કામ કરતા રહ્યાં છે.  હિતિષભાઈ રાજકોટમાં દૈનિક પત્ર ફૂલછાબ'માં પણ ૧૯૭૮ થી ૨૦૦૦ સુધી વિવિધ હોદા્‌ પર ફરજ બજાવતા હતા.

સામાજિક ક્ષેત્રે કાર્યરત સ્વદેશી સેવા સંસ્થા INDIAN LIONS CLUB સાથે ૧૯૯૮ થી હિતેષભાઈ જોડાયેલ છે અને ગુજરાતમાં લગભગ ૭૦ ક્લબો ધરાવતી આ સ્વદેશી INDIA LIONS CLUB ના તેઓ સર્વોચ્ચ સ્થાન CHIEF PATRON પણ છે.

ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણો વિશ્વભરમાં ફેલાયેલો છેય મુખ્યત્વે શિક્ષણ, હોટલ, મિઠાઈ વ્યાપાર, ઉદ્યોગ દાકતર, વકીલ વગેરેના વ્યવસાયકો રહ્યા છે. તેવી રીતે ઉચ્ચ સરકારી હોદા પર ગઢિયા બ્રાહ્મણ પ્રભાવી રહ્યા છે. જગ વિખ્યાત ઈગ્લેન્ડ યુરોપમાં પાઠક -પીકલ્સ'ના પ્રણેતા લખુભાઈ પાઠક કેશોદના ગઢિયા બ્રાહ્મણ હતા. તેવી રીતે સૌરાષ્ટ્ર વિધાનસભાના પ્રથમ સ્પીકર  મગનભાઈ જોષી પણ ગઢિયા બ્રાહ્મણ હતા. તો  નરેન્દ્રભાઈ મોદીના મુખ્યમંત્રી કાર્યકાળમાં શૈક્ષણિક બાબતો માટે તેમના સલાહકાર રહી ચૂકેલા અને પોંડીચેરી અરવિંદ આશ્રમના અંતેવાસી સ્વ. ડો કિરીટભાઈ જોષી કે વિશ્વવિખ્યાત સંગીતકાર વડોદરાના શિવકુમાર શુકલ તેમજ ચેન્નાઈ (તામિલનાડુ) ની સૌથી મોટી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ડો મહેતા નર્સિંગ હોમના સ્થાપક ડો અનંતભાઈ મહેતા અને ડો સવિતાબેન મહેતા પણ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ હતા. સ્વ. ડો. કિરીટભાઈ જોષી તો ઈન્દિરા ગાંધીના પણ સલાહકાર રહી ચૂક્યા હતા. તેવી રીતે સ્વ. ઈન્દિરા ગાંધીના અંગત સલાહકાર સ્વ.  હરસુખભાઈ પંડિત પણ ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ હતા.

એવોર્ડ એનાયત

ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણોના આ સંગઠન દ્વારા ૨૦૧૯-૨૦ના સર્વ શ્રેષ્ઠ ઘટક તરીકે પણ  હિતેષભાઈ પંડ્યાના વડપણ હેઠળના ગાંધીનગર એકમને એવોર્ડ એનાયત થયો હતો. આ ઉપરાંત જાણીતા ટેબલ ટેનિસ ખેલાડી  હિરેન મહેતા (રાજકોટ) વિવિધ ક્ષેત્રમાં ઉડીને આંખે વળગે તેવી કામગીરી કરનારા અને સિદ્ધિ મેળવનારા ગઢિયા બ્રાહ્મણોને પણ સન્‍માનિત કરાયા હતા. શિક્ષણ ક્ષેત્રે યોગદાન આપનાર પૂર્વ શિક્ષણ નિયામક ડો. હર્ષદભાઈ ભટ્ટ (અમદાવાદ) રમતગમત ક્ષેત્રે, ટેબલ ટેનિસમાં ગુજરાતમાં રેન્કર  જગદીશભાઈ પાઠક (રાજકોટ બેન્ક અને ઈન્ડિયા) વિવિધ દોડ સ્પર્ધામાં રાજ્યકક્ષાએ સિદ્ધિ મેળવનાર

ગાંધીનગરના કાજલબેન સી. ત્રિવેદી, સ્કાઉટ ગાઈડ પ્રવૃત્તિમાં સન્માનનીય કામગીરી કરનાર  કિશોરભાઈ પંડ્યા (રાજકોટ) ટેબલ ટેનિસમાં રાષ્ટ્રીય સ્તરે નામના મેળવનાર  હિરેનભાઈ મહેતા (રાજકોટ રેલ્વે) સામાજિક ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્યકર્તા  મનીષભાઈ મહેતાને અને ધારી (અમરેલી)ના એવોર્ડી શિક્ષક પ્રકાશભાઈ શર્માને આ સામાન્ય સભામાં સન્‍માનિત કર્યા હતા.

ગઢિયા બ્રહ્મ સમાજના નિવૃત થઈ રહેલા પ્રમુખ  કિશોરભાઈ મહેતા (જૂનાગઢ)  લાભશંકરભાઈ મહેતા (જૂનાગઢ)ની ટીમ છ વરસ (બે ટર્મ) માટે કરેલી ઉત્કૃષ્ઠ કામગીરીને વાર્ષિક સામાન્ય સભાએ બિરદાવી હતી.  હિતેષભાઈ પંડ્યાનો સંપર્ક નંબર ૭૯૮૪૩૫૨૫૪૦ છે અને તેઓ ગાંધીનગરમાં રહે છે.

(9:52 pm IST)