Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

ભરુચ કોંગ્રેસનાં 20 જેટલા કાર્યકરોના રાજીનામાં સ્વીકારાયાં

જીલ્લા કોંગ્રેસની મળેલી સંકલન સમિતિની બેઠકમાં લેવાયો નિર્ણય

ભરૂચ જીલ્લા કોંગ્રેસની મળેલી સંકલન સમિતિની બેઠકમાં તાજેતરમાં રાજીનામાં આપનાર ૨૦ જેટલા કાર્યકરોનાં રાજીનામાં સ્વીકારી લેવામાં આવ્યા છે.

  ભરૂચ કોંગ્રેસમાં થોડા દિવસ અગાઉ રાજીનામાની મોસમ જોવા મળી હતી.મોબ લીન્ચીગના વિરોધમાં નીકળનાર રેલી રદ્દ કરી દેવામાં આવતા કોંગ્રેસમાં ૧૧ જેટલા કાર્યકરોએ રાજીનામાં આપી દીધા હતા બીજી તરફ રથયાત્રા પર થયેલ પથ્થરમારાની ઘટનાના વિરોધમાં કોઈ કાર્યક્રમ ન ગોઠવાતા અન્ય ૧૦ જેટલા કાર્યકરોએ પણ રાજીનામાં ધરી દીધા હતા

 . આ તમામ કાર્યકરોના રાજીનામાં જીલ્લા કોંગ્રેસ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યા છે. જીલ્લા કોંગ્રેસની મળેલી સંકલન સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ ઉપરાંત જો આ કાર્યકરો પક્ષ વિરોધી નિવેદન કરશે તો તેમને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરવાના પણ આદેશ આપવામાં આવ્યા છે.

(2:13 pm IST)