Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

રથયાત્રાની કોમેન્ટ્રી જયેશ વ્યાસ આપશે

અમદાવાદની રથયાત્રાનું જીવંત પ્રસારણ ડીડી ગીરનાર પર થશે

રાજકોટ, તા. ૯ : આગામી તા.૧૪ શનિવારે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાના પાવન અવસરે ડીડી ગિરનાર દ્વારા થનાર જીવંત પ્રસારણમાં વિખ્યાત વકતા અને કુશળ સંચાલક જયેશ વ્યાસ આંખે દેખ્યો અહેવાલ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે તેઓ દ્વારકાથી કૃષ્ણ જન્મોત્સવ પર્વ સમયે પણ રસસભર શૈલીમાં કોમેન્ટ્રી આપતા રહ્યા છે.

અમદાવાદમાં વર્ષોથી નીકળતી ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની રથયાત્રા સમગ્ર ગુજરાત અને ગુજરાતીઓ માટે આસ્થાનું પર્વ છે. ભગવાન સ્વયં ભકતોને દર્શન આપવા મહાનગરમાં રથ દ્વારા પધારે છે જેનો ઉત્સાહ ઉમંગ અને વિશાળ સ્તરે થતી તૈયારીઓ મહાનગરમાં પૂરજોશમાં જોવા મળે છે.

(4:31 pm IST)