Gujarati News

Gujarati News

News of Monday, 9th July 2018

અશ્વિની નદીમાં ન્હાવા ગયેલ બે શ્રમજીવી પૈકી એક યુવાનને મગરે ફાડી ખાદ્યો :એક ઘાયલ

તિલકવાડાના પીછીપરાંના બે શ્રમજીવી નહાવા પડેલા :બુમાબુમ થતા ગ્રામજનો દોડ્યા

નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના પીંછીપરાના બે શ્રમજીવીઓ મજુરી કામ કર્યા બાદ નજીકમાં વહેતી અશ્વિન નદીમાં ન્હાવા ગયા હતા.દરમિયાન નદીમાં થોડે દૂર અંદર ગયેલા અર્જુન પરસોત્તમ તડવી (..30)ને મગરે પાણીમાં ખેંચી લેતા બુમાબુમ કરી મુકી હતી. ગામ લોકો દોડી આવ્યા હતા પરંતુ ત્યાં સુધી ખૂંખાર મગરે યુવાનને ફાડી ખાધો હતો.ઘટનાની જાણ થતાં રાત્રીના સમયે પોલીસ પહોંચી હતી.

  અંગે જાણ કરાતા રાજપીપળા પૂર્વ વન વિભાગના એસીએફ નિલેશ પંડયા, આરએફઓ ગોરા રેન્જ અનિરૂદ્ધસિંહ ગોહિલ, ફોરેસ્ટર ઉમેશ તડવી, બીટગાર્ડ ગોહિલ, પોલીસ સ્ટાફ પીંછીપરા પહોંચી ગયા હતા. ઉલ્લેખનીય છે કે, મગરના હુમલામાં નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની બીજી ઘટના છે. અગાઉ ગામે મગરના હુમલામાં શ્રમજીવીનું મોત થયુ હતું. તેમજ ગનસીડા ગામે મગર હુમલામાં એક વ્યકિત ઘાયલ થયો હતો.

(7:10 pm IST)