Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

વડોદરામાં ચિંતન શિબિર બહાર દલિત કાર્યકરોએ આવેદનપત્ર આપતા બઘડાટીઃ પ્રદર્શનકારીઓ દ્વારા સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતા અટકાયત

વડોદરાઃ શહેર ચાલી રહેલી સરકારની ચિંતન શિબિર બહાર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી. શિબરના સ્થળની બહાર દલિત કાર્યકરો વિવિધ મુદ્દે આવેદનપત્ર આપવા આવ્યા હતાં. પરંતુ તે આવેદનપત્ર આપે તે પહેલા જ પોલીસે જીએસએફટીના ગેઈટ નં.1 પાસેથી પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. અને તેમને શિબિર સ્થળેથી દૂર લઈ ગયા હતાં. પ્રદર્શનકારીઓએ સરકાર વિરુદ્ધમાં નારા લગાવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, રાજ્ય  સરકાર દ્વારા વડોદરામાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રિદિવસિય ચિંતન શિબિરનો આજે અંતિમ દિવસ છે.

(5:54 pm IST)