Gujarati News

Gujarati News

News of Saturday, 9th June 2018

આંકલાવ તાલુકાના ગંભીરા પાસેથી નદીના કોતરમાં પુરુષની વિકૃત હાલતમાં લાશ મળી આવતા ચકચાર

આંકલાવ:તાલુકાના ગંભીરા પાસેથી પસાર થતી મહીસાગર નદીના કોતરોમાં વિકૃત થયેલ લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

 


ગંભીરા મહીસાગર નદીના કોતરોમાંથી પસાર થતા એક ખેડૂતને અત્યંત ખરાબ દુર્ગંધ આવતા તેણે આજુબાજુમાં તપાસ કરી હતી ત્યારે ઝાડીઝાંખરાંની અંદર એક પુરુષની લાશ વિકૃત થયેલ હાલતમાં પડી હોવાનું નજરે પડ્યું હતું. જેને લઈ તેણે આજુબાજુ સ્થાનિક અગ્રણીઓને જાણ કરી હતી અને પોલીસને પણ જાણ કરવામાં આવી હતી. લાશ પુરુષની છે અને લાશ ફૂલી ગયેલ છે જેની પરથી એવું અનુમાન લગાવાઈ રહ્યું છે કે, આ લાશ અહીંયા બે -ત્રણ દિવસ ઉપરાંતથી પડી હોવી જોઈએ.

મહીસાગર નદીના કોતરોમાં નદીમાં પાણીના પ્રવાહમાં અનેકવાર લાશો તણાઈ આવે છે પરંતુ હાલ નદીમાં પાણી નહિવત છે. નદી સુકાઈ ગયેલ છે ત્યારે અહીંયા લાશ આવી કઈ રીતે તેની તપાસ પોલીસ ચલાવી રહી છે. જોકે આણંદ જિલ્લાની હદ પૂરી થતી હોઈ પાદરા પોલીસ દ્વારા લાશનો કબજો મેળવી તપાસ હાથ શરૂ કરવામાં આવી છે.

(5:19 pm IST)