Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

પોઇચા બ્રિજ આજથી ભારદારી વાહનો માટે પણ ખુલ્લો મુકાતા લોકોને સૌથી મોટી રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાથી વડોદરાને જોડતા પોઇચા પુલને ઘણા સમયથી મરામત માટે બંધ કરાયો હતો અને થોડા સમય પહેલા નાના વાહનો માટે ખુલ્લો મુકાયા બાદ આજથી ભારદારી સહિત તમામ વાહનો માટે બ્રિજ  ખુલ્લો કરાતા સૌને રાહત મળી છે.
  માર્ગ મકાન વિભાગના ઈજનેર થોરાટ એ ટેલિફોનિક વાતમાં જણાવ્યું હતું કે આજથી પોઇચા પુલ સદંતર ખુલ્લો કરાયો છે હજુ અમુક કામગીરી બાકી છે પરંતુ એ ચાલુમાં થાય તેમ છે હાલ કોરોના ના કપરા સમયમાં વાહનો ની આવન જાવનમાં ભારે મુશ્કેલી પડતી હતી જેમાં હવે લોકોને રાહત મળશે

(10:53 pm IST)