Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

નર્મદા જિલ્લામાં રવિવારે ૪૦ કોરોના પોઝિટિવ દર્દી સાથે જિલ્લાનો કુલ આંક ૩૬૧૫ પર પહોંચ્યો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આરોગ્ય વિભાગના એપેડમિક અધિકારી ડો.આર.એસ. કશ્યપ પાસે થી મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લામાં રવિવારે ૪૦ પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાં રાજપીપળામાં મચ્છી માર્કેટ ૦૧, સડક ફળિયા ૦૧, કોહિનૂરહોટલ સામે ૦૧,ગાંધી પંપ સામે ૦૧ તથા નાદોદ તાલુકામાં વરખડ ૦૧, ખજલવાસા ૦૧, કરાઠા ૦૧, વડીયા ૦૨, કરજણ ડેમ ૦૧, ચિત્રાવાડી ૦૧, જીતનગર ૦૧, ઢોલાર ૦૧ તથા ગરુડેશ્વર તાલુકામાં ઝરીયા ૦૧, નવા વાઘપુરા ૦૧, ગડકોઈ ૦૧, કેવડિયા ૦૧, સમશેરપુરા ૦૧ તથા તિલકવાડા તાલુકામાં વજીરીયા ૦૨, વાસણ ૦૧, શીરા ૦૨, તિલકવાડા ૦૧, ગોલા તલાવડી ૦૧, દેવલીયા ૦૧, નામલપુર ૦૧, આબાદપુર ૦૧, વડીયા ટેકરા ૦૧, ગમોડ ૦૧, મોરા ૦૧, મારુઢીયા ૦૧ તથા ડેડીયાપાડા તાલુકામાં અલમાવાડી ૦૧, થવા ૦૧ તથા સાગબારા તાલુકામાં સાગબારા ૦૧, ભવરીસાવર ૦૧, મોટી દેવરુપણ ૦૧, દત્તવાડા ૦૧, કાનાપાડા ૦૧, સેલંબા ૦૧ કેસ સાથે જિલ્લામાં કુલ ૪૦ પોજેટિવ કેસ નોંધાયા છે.
   રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ૪૮ દર્દીઓ સારવાર હેઠળ છે,કોવિડ કેર સેન્ટર માં ૧૩૬ દર્દી દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં ૭૬ દર્દી દાખલ છે,જ્યારે આજે ૦૧ દર્દીનું મૃત્યુ થયેલ છે જ્યારે આજે ૫૨ દર્દીઓ સાજા થતા રજા અપાઈ છે, આજ સુધી જિલ્લા માં કુલ ૩૨૮૫ દર્દી સાજા થતા તેમને રજા આપવામા આવી છે.જિલ્લા માં કોરોના પોઝિટિવનો કુલ આંક ૩૬૧૫ પર પહોચ્યો છે.આજે વધુ ૧૧૦૦ સેમ્પલ ચકાસણી હેઠળ છે.

(10:50 pm IST)