Gujarati News

Gujarati News

News of Sunday, 9th May 2021

આર્થિક સંકળામણે સુરતના બિલ્ડરનો જીવ લીધો : શેખપુરમાં ફાર્મહાઉસમાં ગળેફાંસો ખાઈને આપઘાત

સરથાણા જકાતનાકા પાસે રહેતા ફૂલ જૂનાગઢના ભેસાણનાં છોડવણીના બિલ્ડરનો આર્થીક મંદીએ ભોગ લીધો

સુરતના બિલ્ડરે આર્થિક સંકડામણને કારણે કામરેજ તાલુકાનાં શેખપુર ગામે આવેલ પોતાના ફાર્મહાઉસમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટના અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગે મળતી માહિતી અનુસાર સુરત શહેરના સરથાણા જકાતનાકા પાસે ભરખરીયાધામ સોસાયટીમાં રહેતા અને મૂળ જુનાગઢ જિલ્લાના ભેંસાણા તાલુકાનાં છોડવળી ગામના રતિલાલ નાથાભાઈ પાનસુરીયા (ઉ.વર્ષ 57) બાંધકામ ઉદ્યોગ સાથે સંકળાયેલા હતા. કોરોના મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી બાંધકામ ઉદ્યોગમાં મંદીને કારણે તેમના પ્રોજેકટ બંધ થઈ ગયા છે. પ્રોજેકટને લઈને લોકો પાસેથી રૂપિયાની લેવડ દેવડ હતી.

પરંતુ આર્થિક સંકડામણને કારણે તેઓ પૈસા ચૂકવી શક્યા ન હતા. આથી તેઓ ઘણા સમયથી માનસિક તણાવમાં રહેતા હતા.

(10:42 am IST)