Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

કોરોનાની ગંભીરતા જોઈ અનેક શહેરોમાં સ્વૈચ્છિક લોકડાઉન

રાજ્યના તમામ શહેરોમાં કોરોનાના કેસમાં વધારો : તમામ રવિવાર દરમિયાન વલસાડ જિલ્લો સ્વૈચ્છિક બંધ

વલસાડ, તા. ૯ : ગુજરાતના તમામ નાના-મોટા શહેરોમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે. સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવી નથી પરંતુ સ્થિતિની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને ગામડા, શહેરોમાં વેપારી, સંસ્થા મંડળો દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી રહી છે. હવે વલસાડ જિલ્લામાં વધી રહેલા સંક્રમણને અટકાવવા માટે એપ્રિલના તમામ રવિવારે દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લો સ્વૈચ્છિક બંધ પાળશે.

આજરોજ વલસાડના વેપારી, હોટલ, ઇન્ડલસ્ટ્રીધઝ, ચેમ્બવર ઓફ કોમર્સ વગેરે એસોસીએશન સાથેની કલેકટર કચેરીમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ કલેકટરે જણાવ્યુંટ હતું કે, કોઇ વ્ય્કિત વાયરસનો ભોગ ન બને તેની તકેદારીની જવાબદારી માત્ર વહીવટીતંત્રની નથી લોકોની પણ છે, લોકોને પોતાના જાનની સલામતી ચિંતા કરવાની તેટલીજ જરૂરી છે. તંત્ર માનવતાવાદી છે. સ્વૈોચ્છિકક બંધની અપીલ અને વિનંતી જનહિતમાં છે, ત્યા રે આ બંધમાં સૌ સાથ સહકાર આપે અને કોવિડ-૧૯ની ગાઇડલાલનનો ચુસ્ત  અમલ કરે તે ખૂબ જરૂરી છે.

આ બેઠકમાં સંગઠનોની અપીલને માન આપી એપ્રિલ માસના તમામ રવિવારો દરમિયાન સમગ્ર વલસાડ જિલ્લો સ્વૈછચ્છિ ક બંધ પાળશે. વિવિધ એસોસીએશનોની રજૂઆતને ધ્યામને રાખી સમગ્ર જિલ્લામાં સોમવાર થી શનિવાર સુધી વેપાર ધંધા સવારે ૭ થી રાત્રિના ૮.૩૦ સુધી કોવિડ-૧૯ની ગાઇડલાઇનની ચુસ્તવ અમલવારી સાથે ચાલુ રહેશે. રાત્રે ૮.૩૦ થી સવારના ૭ વાગ્યાન સુધી સ્વૈશચ્છિધક રીતે સમગ્ર જિલ્લામાં પ્રથમવાર કોરોના કર્ફયુ લાગુ કરાશે. રવિવાર સિવાય હોટલો રાત્રિના ૧૦.૩૦ વાગ્યાધ સુધી ખુલ્લી રહેશે. દર રવિવારે હોટલોમાં રાત્રે ૧૦.૩૦ વાગ્યાહ સુધી માત્ર પાર્સલ સેવા જ ચાલુ રાખી શકાશે. કોવિડ -૧૯ નિયમોનો ભંગ ન થાય તેની તકેદારી હોટલ માલિકોની રહેશે. જે ઉદ્યોગોમાં નિર્ધારીત દિવસે શટડાઉન હોય તે દિવસે અચૂક બંધ પાળવાનું રહેશે. જે ઉદ્યોગોમાં રવિવારે શટડાઉન ન હોય તો ઉદ્યોગોને રવિવારે બંધમાંથી મુકિત આપવામાં આવી છે.

(9:26 pm IST)