Gujarati News

Gujarati News

News of Friday, 9th April 2021

વલ્લભ વિદ્યાનગરમાં બપોરે ૩ થી સવારે ૬ સુધી લોકડાઉનઃ ૧૭મી સુધી અમલ

આણંદ તા. ૯: કોરોના સંક્રમણના સતત વધતા મામલાઓને લઇને રાજયના ર૦ શહેરોમાં રાત્રી કર્ફયુ લગાડાયો છે. આણંદના વલ્લભવિદ્યાનગર નગર પાલીકાએ શહેરમાં ગુરૂવાર બપોરે ૩ થી આજે સવારે ૬ વાગ્યા સુધીનો નિર્ણય લીધેલ. જેના લીધે શહેર ગઇકાલે બપોરે જ બંધ થઇ ગયેલ. ઘણા વેપારીઓએ નગરપાલીકા પ્રમુખને મળી રાત્રે ૮ વાગ્યાથી લોકડાઉનની અપીલ કરેલ. સ્વૈચ્છીક લોકડાઉન ૧૭ એપ્રિલ સુધી લાગુ રહેશે.

(3:02 pm IST)