Gujarati News

Gujarati News

News of Thursday, 9th April 2020

મોડાસામાં ચાલુ વર્ષે કોરોનાના કારણોસર હનુમાન જયંતી પર સક્રિય મંદિરના તમામ કાર્યક્રમો બંધ રાખવામાં આવ્યા

મોડાસા:ચાલુ વર્ષે કોરોના મહામારી ને લઈ દેશભરમાં લોકડાઉન અપાયું છે.ત્યારે હનુમાન જયંતિના પવિત્ર દિવસે મોડાસા તાલુકાના સાકરીયા ગામે આવેલ ભીડભંજન હનુમાન મંદિરે તમામ કાર્યક્રમો બંધ રખાયા હતા.લાખ્ખોની મેદનીવાળુ સમગ્ર મંદિર પરીસર આજે સુમસામ જોવા મળ્યું હતું. મંદિરના પૂજારી દ્વારા હનુમાનજી ની મૂર્તિને શણગાર કરી આરતી ઉતારવામાં આવી હતી. આમ હનુમાન જયંતિ નું પર્વ શ્રધ્ધાળુઓએ ઘરે રહી હનુમાન ચાલીસા ના પાઠ કરી ઉજવ્યું હતું.

જિલ્લામાં આવેલ હનુમાન મંદિરો પણ બંધ રખાયા હતા. આમ હનુમાન જયંતિના પર્વે શ્રધ્ધાળુઓ વહેલી સવારથી મંદિરોમાં પૂજા-પાઠ માટે ઉમટતા હોય છે.પરંતુ હાલ કોરોના વાયરસની મહામારીને લઈ લોકોએ સંપૂર્ણપણે મંદિરમાં જઈ પોતાના ઘરે બેસી ભક્તિ કરી હતી.

(5:37 pm IST)