Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

તારાપુરના ઊંટવાડામાં અગમ્ય કારણોસર ખેડૂતે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

તારાપુર: તાલુકાના ઊંટવાડા ગામે રહેતા એક ખેડૂતે પાક નિષ્ફળ જતાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લેતાં ચકચાર મચી જવા પામી છે. આ અંગે તારાપુર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 

મળતી વિગતો અનુસાર ઊંટવાડા ગામે રહેતા હસમુખભાઈ આશાભાઈ સોલંકીએ (ઉ. વ. ૪૨)ગત વર્ષે પોતાના ખેતરમા ટામેટાંનો પાક કર્યો હતો પરંતુ આ પાક નિષ્ફળ જતાં હસમુખભાઈ આર્થિક સંકળામણમાં આવી ગયો હતો જેને લઈને ગત ૨૭મી તારીખના રોજ પોતાના ઘરે જ મોભ સાથે સાડીનો ગાળીયો બનાવીને ગળે ફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ પરિવારજનોને થતાં જ તેમને બચાવી લઈને તુરંત જ આણંદની ખાનગી હોસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં આજે વહેલી સવારના સુમારે અવસાન થયું હતુ. 

(5:30 pm IST)