Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ખંભાતના ખારાવાડામાં ઘરકામ કરવા આવેલ બે મહિલાએ 3.85 લાખના દાગીના તફડાવ્યા

ખંભાત:શહેરના ખારાવાડા વિસ્તારમાં રહેતા વેપારીના ઘરે ઘરકામ કરવા આવેલ બે મહિલાઓએ હાથની સફાઈ સાથે કબાટના ડ્રોઅરમાં મુકેલા સોના-ચાંદીના દાગીના શેરવી લઈ ફરાર થઈ જતા ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.

આ અંગેની પોલીસ દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાત શહેરમાં ખારાવાડા ખાતે મકાન નં. ૬૦૨માં રહેતા વેપારી અનિલ નવીનભાઈ શાહ ટ્રેક્ટરના સ્પેરપાર્ટસ બનાવીને હોલસેલ વેપાર કરે છે. ગત તા.૧૪મી માર્ચના રોજ નજીકમાં રહેતા પડોશીને ત્યાં ઘરના કામકાજ માટે આવતી બે બહેનો રીટા પિયુષભાઈ અને ગીતા રવિષકુમારને તેમણે માસિક પગારથી પોતાના ઘરે કામકાજ માટે રાખી હતી. 

 

(5:27 pm IST)