Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

ભરૂચ :અસુરીયા જૈન આશ્રમ પાસે ટેમ્પોની ટક્કરે બે સાધ્વીજીના કરૂણ મોત

રસ્તા પર વિહાર કરી રહેલા આ બંન્ને સાધ્વીજી સૈયમ પ્રભાજી અને રચનાશ્રી આઇસર ટેમ્પોએ અડફેટે લીધા

ભરૂચ :અસુરીયા જૈન આશ્રમ પાસે ટેમ્પોની ટક્કરે બે સાધ્વીજીના કરૂણ મોત થયા છે. સવારે 5.30 વાગ્યે આ ઘટના બની હતી. સવારે જૈન આશ્રમથી વિહાર કરતા આ સાધ્વીજીને ટેમ્પોએ ટક્કર મારતાં બંનેના ઘટનાસ્થળે જ કરૂણ મોત થયા છે.

   વહેલી સવારે જીજે 18 એઝેડ 7901 નંબરની આઇસરે રસ્તા પર વિહાર કરી રહેલા સાધ્વીજી સૈયમ પ્રભાજી અને રચનાશ્રી આઇસર ટેમ્પોએ ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં બંન્ને સાધ્વીજીના કરૂણ મોત નીપજયા હતા

  . આ બનાવના પગલે જૈન સમાજના અગ્રણી સહિત્નાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં મોતને ભેટેલા બંન્ને સાધ્વીજીના મૃતદેહને પી.એમ. અર્થે ભરૂચ સિવિલ હોસ્પીટલા ખસેડી અકસ્માત સર્જનાર આઇસર ચાલક વિરૂધા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(11:33 am IST)