Gujarati News

Gujarati News

News of Tuesday, 9th April 2019

પાટીદાર આંદોલન વેળાએ થયેલા રાયોટિંગ અને સરકારી સંપત્તિને નુકશાન કેસમાં 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પાછી ખેંચવા મંજૂરી

કૃષ્ણનગર, નિકોલ, અને રામોલ સહિતના પૂર્વ વિસ્તારમાં કેસ થયેલા

અમદાવાદ:રાજ્યમાં વર્ષ 2015 દરમિયાન થયેલા પાટીદાર અનામત આંદોલન વેળાએ અમદાવાદના કૃષ્ણનગર , નિકોલ, અને રામોલ સહિતના પૂર્વ વિસ્તારમાં થયેલા રાઇટીંગ અને સરકારી સંપત્તિને નુકસાન મામલે રાજ્ય સરકાર દ્વારા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ પાછી ખેંચવાની અરજી  અમદાવાદ સેશન્સ કોર્ટે માન્ય રાખી કેસનો નિકાલ કર્યો હોવાની વિગતો સામે આવી છે.

અમદાવાદ સેશન્સ કોર્ટના જજ એ.આર.પટેલ દ્વારા કેસ પાછો ખેંચવાની સરકારની અરજીને માન્ય રાખતા 2 અલગ અલગ પોલીસ સ્ટેશન હેઠળ નોંધાયેલ કેસમાં 9 જેટલા આરોપીઓને કેસમાંથી મુક્ત કર્યા હોવાના આદેશ આપ્યા હતા.

(1:15 am IST)