Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

અમદાવાદમાં શેઠના ત્રાસથી કર્મચારીનો આપઘાતનો પ્રયાસ

સુસાઈડ નોટમાં લખ્યું પોલીસ કમિશનર ન્યાય અપાવજો : કર્મચારીએ હાથ-પગ, ગળાના ભાગે બ્લેડ મારી આત્મહત્યાનો પ્રયાસ કરતાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

અમદાવાદ,તા.૯ : અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પર આવેલા દીપકલા જંક્શનના શેઠ પ્રદીપ શાહના ત્રાસથી એક કર્મચારીએ હાથ-પગ અને ગળાના ભાગે બ્લેડ મારીને આત્મહત્યાનો પ્રયાસ કરતાં પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આપઘાતના પ્રયાસ પહેલા કર્મચારીએ એક સુસાઇડ નોટ પણ લખી હતી. આ સુસાઇડ નોટમાં તેમણે તમામ વાત માટે પોતાના શેઠને જવાબદાર ગણાવ્યા છે. હાલ કર્મચારીની હૉસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. કર્મચારીએ જે સુસાઇડ નોટ લખી હતી તે શબ્દશઃ નીચે પ્રમાણે છે. હું મારી સ્વચ્છાએ કનુભાઈ જી. પ્રજાપતિ આમાં મારા ઘરવાળાનો કોઈ વાંક નથી. મું મારી આત્મહત્યા કરું છું. તે માટે મારા માતાપિતા, બે ભાઈ, બે ભાભી અને પત્ની, છોકરાઓનો કોઈ વાંક નથી.

આનાથી પોલીસ કમિશનરને જાણ કરવા માટે લખ્યું છે કે મારા ઘરવાળા નિર્દેષ છે. તેમના ઉપર કોઈ કાર્યવાહી કરવી નહીં. મારું આત્મહત્યા કરવાનું કારણ મારાના દુકાનના શેઠ દિપકલા જંક્શન સેટેલાઇટ પ્રદિપભાઈ શાહના ટોર્ચર અને હેરાનગતીથી હું આત્મહત્યા કરું છું. પોલીસ કમિશરનરે જણાવવા માટે કે અમારા શેઠ ઉપર કડક પગલા લેવા વિનંતી અને ન્યાય અપાવવા માટે વિનંતી. આમા મારા ઘરવાળા નિર્દોષ છે. તેમની ઉપર કોઈ કાર્યવાહી કરવી નહીં. એમને ખબર પણ નથી. તે માટે નિર્દોષ છે.

ખોખરા વિસ્તારમાં રહેતા કનુભાઈ પ્રજાપતિ છેલ્લા સાતેક વર્ષથી શિવરંજની ચાર રસ્તા પર આવે ફરિયાદમાં જણાવ્યા મુજબ કનુભાઈ જો પાંચ મિનિટ નોકરીના સમયમાં મોડા પહોંચતા તો તેઓનો ૨૫ ટકા પગાર અને જો નોકરી પર પહોંચવામાં વધુ મોડું થાય તો ૫૦ ટકા પગાર કાપી લેતા હતા. શનિવાર અને રવિવાર ફરજિયાત આવવા માટે કહેતા હતા. જો ન આવે તો સોમવારે નોકરી પર હાજર ગણતા ન હતા. એકવાર કનુભાઈએ શેઠને અપમાનિત શબ્દો ન બોલવા માટેનું કહેતાં તેઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળો બોલવા લાગ્યા હતા.

(9:31 pm IST)