Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

સુરતના ડિંડોલી વિસ્તારમાં પિતાના મોતના વિરહમાં પુત્રએ ફાસો ખાઈ મોતને વ્હાલું કર્યું

સુરત: શહેરના ડીંડોલીમાં પિતાના મોતના વિરહમાં ઝુરતા પુત્રએ પિતાની મરણોત્તર ક્રિયાના ત્રણ દિવસ બાદ રવિવારે બપોરે ગળે ફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ડીંડોલીમાં સનસીટી રો-હાઉસમાં રહેતો ૩૨ વર્ષીય રાહુલ શાંતીલાલ પાટીલે રવિવારે બપોરે ઘરમાં પંખા સાથે સાડીનો છેડો બાંધી ગળે ફાંસો ખાઇ આત્મ હત્યા કરી હતી.પોલીસ સુત્રોએ કહ્યુ કે રાહુલના ત્રણ વર્ષ પહેલા લગ્ન થયા હતા.

બાદમાં થોડા સમયમાં પત્ની સાથે અણબનાવ થતા પત્ની મહારાષ્ટ્ર ખાતે પિયર ચાલી ગઇ હતી. ૧૫ થી ૨૦ દિવસ પહેલા રાહુલ વતન મહારાષ્ટ્ર ગયો હતો.ત્યાં તે તેના પિતાને બાઇક પર બેસાડીને જતો હતો.ત્યારે બાઇક પરથી તેના પિતા પડી જતા મોતને ભેટયા હતા.  પિતાની મરણોત્તરવિધી પુરી કરીને ત્રણ દિવસ પહેલા તે સુરત આવ્યો હતો. પિતાના મોતના વિરહમાં તેણે આ પગલુ ભર્યુ હતુ.

(6:00 pm IST)