Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ગુજરાતના જાણીતા મેગેઝીન દ્વારા સર્વે

ગુજરાતની ૫૦૦ ટોપ પર્સનાલીટીમાં શેઠ બ્રધર્સ પરિવારના દેવેનભાઈ શેઠનો સમાવેશઃ અભિનંદનવર્ષા

રાજકોટઃ હાલમાં ગુજરાતના એક પ્રતિષ્ઠિત મેગેઝીન દ્વારા થયેલ એક સર્વેમાં જુદા- જુદા ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ધરાવનાર ૫૦૦ વ્યકિતઓની પસંદગી કરવામાં આવી હતી. આ યાદીમાં શેઠ બ્રધર્સ પરિવારના દેવેનભાઈ શેઠની પણ દેશના ટોચના ઉદ્યોગપતિ રતન ટાટા, મુકેશ અંબાણી, ગોતમ અદાણી, અનીલ અંબાણી, અઝીમ પ્રેમજી, કરશનભાઈ પટેલ, ગોવિંદ ધોળકીયા, દિલીપ સંઘવી વગેરે સાથે શેઠ બ્રધર્સના દેવેનભાઈ શેઠનો પણ સમાવેશ થયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે દેવેનભાઈ શેઠ પોતાના ઉદ્યોગ સાથે અનેક સામાજીક કાર્યોમાં પણ જોડાયેલા છે. તેઓ છેલ્લા ૧૦ વર્ષોથી ભાવનગર શહેરને હરીયાળુ બનાવવા ગ્રીનસીટી સંસ્થા ચલાવી રહ્યા છે. છેલ્લા ૧૨ વર્ષોથી ભાવનગર વૃધ્ધાશ્રમમાં ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. તેમજ તેમની કપોળ જ્ઞાતિમાં ૮ વર્ષથી પ્રમુખ પદ સંભાળી રહ્યા છે. આમ બીઝનેસની સાથે તેમની આ અનેક સામાજીક પ્રવૃતિઓને ધ્યાનમાં લઈને તેઓની ગુજરાતની ૫૦૦ ટોપ પર્સનાલીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દેવેનભાઈ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

(4:13 pm IST)