Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમદાવાદમાં ત્રણ દિવસીય યોગ શિબિર

તા. ૧૦,૧૧ રિવરફ્રન્ટ ખાતે આયોજનઃ વિજયભાઇ રૂપાણી પણ હાજરી આપશે

(કેતન ખત્રી) અમદાવાદ,તા. ૮: ગુજરાત સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ। વિભાગના નેજાં હેઠળ લોકોની તંદુરસ્ત જીવનશૈલી અને સુખાકારી માટે કાર્યરત ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા યોગમય ગુજરાત અંતર્ગત ૯, ૧૦ અને ૧૧ માર્ચ રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે નિઃશુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ ત્રણ દિવસીય કાર્યક્રમમાં દરરોજ સવાર-સાંજના સત્રમાં લોકો યોગ શીખશે, યોગ કરશે, યોગના લાભો અંગે મહત્વપૂર્ણ જાણકારીઓ મેળવશે તથા તેમની આસપાસ યોગ સંસ્કૃતિના પ્રચાર અને પ્રસાર માટે કટીબદ્ઘતા કેળવશે.કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહેવાના છે.

ગુજરાત રાજય યોગ બોર્ડના ચેરમેન અને યોગ સેવક શ્રી શીશપાલ રાજપૂતે જણાવ્યું હતું કે, 'નિઃશુલ્ક યોગ શિબિરમાં સામેલ થવા માટે શહેરીજનો તરફથી અમને ખૂબજ સકારાત્મક પ્રતિસાદ સાંપડ્યો છે અને રજીસ્ટ્રેશન કરાવ્યાં છે, જેનાથી અમારો ઉત્સાહ વધ્યો છે. ભારતે સમગ્ર વિશ્વને યોગની અમૂલ્ય ભેટ આપી છે અને આજે વિશ્વભરના લોકો યોગના લાભોથી પરિચિત છે ત્યારે આપણા દેશમાં યોગ સંસ્કૃતિના મૂળિયાં વધુ ઊંડા ઉતરે તથા વધુ લોકો યોગ તરફ આકર્ષાય તે માટે કરાયા હોવાનું જણાવાયુ છે.

(3:00 pm IST)