Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રીએ લીધો કોરોના વેક્સિનનો પહેલો ડોઝ, ૪૫ કરતાં વધારે સંતો સાથે શ્રી સ્વામિનારાયણ મંદિરેથી મૂકાવી વેક્સિન...

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે કોરોનાની વેક્સિન લીધી હતી. હાલ દેશમાં કોરોના વેક્સિનનો બીજો તબક્કો ચાલી રહ્યો છે. બીજા તબક્કાના વેકિનેશનમાં 60 વર્ષથી મોટી ઉંમરનાને વેકિસન અપાઇ રહ્યું છે. ઉપરાંત 45 વર્ષથી મોટી ઉંમરના ગંભીર બીમારીથી પીડિત  લોકોનું પણ વેક્સિનેશન થઇ રહ્યું છે. ત્યારે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીશ્રી મહારાજે  કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા મળતી માહિતી મુજબ દેશમાં 1 કરોડ 77 લાખ 11 હજારથી વધારે લોકોને વેક્સિન આપવામાં આવી છે. બીજા તબક્કામાં 60થી વધુ ઉંમરના 14 લાખ 95 હજાર વૃદ્ધોને વેક્સિનનો પહેલો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

(11:58 am IST)