Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

ગાંધી આશ્રમના વૈશ્‍વિક સ્‍તરના વિકાસ માટે સમિતિની રચના

વિજયભાઇ ચેરમેનઃ નરહરિ અમીન, કિરીટ સોલંકી વગેરે સભ્‍ય

રાજકોટ તા. ૯: અમદાવાદના સુપ્રસિદ્ધ સાબરમતી (ગાંધી) આશ્રમને વૈશ્‍વિક સ્‍તરે ધ્‍યાન ખેંચાય તે રીતે વિકસાવાની સરકારની યોજના છે. ગાંધી આશ્રમ અને આસપાસના વિસ્‍તારના વિકાસ માટે રાજય સરકારે ગવર્નિંગ કાઉન્‍સિલ (સંચાલન સમિતિ) ની રચના કરી છે. જેના ચેરમેન તરીકે મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી રહેશે. સભ્‍ય સચિવ તરીકે અમદાવાદ જિલ્લા કલેકટર ફરજ બજાવશે. સભ્‍ય તરીકે સંસદ સભ્‍ય નરહરિ અમીન અને ડો. કિરીટ સોલંકી ઉપરાંત જુદા જુદા વિભાગોના અધિકારીઓ, આશ્રમ ટ્રસ્‍ટના પ્રતિનિધિ, ખાદી ઉદ્યોગના પ્રતિનિધિ વગેરે રહેશે. અન્‍ય એક વહીવટી સમિતિ બનાવાયેલ છે. જેમાં મુખ્‍યમંત્રીના મુખ્‍ય અગ્રસચિવ ચેરમેન તરીકે તથા અન્‍ય અધિકારીઓ સભ્‍ય તરીકે રહેશે.

(11:45 am IST)