Gujarati News

Gujarati News

News of Tuesday, 9th March 2021

રાજપીપળા ખાતે આદિવાસી સમાજના અગ્રણીઓએ મોહનભાઇ ડેલકરને શ્રદ્ધાંજલિ આપી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા ખાતે આવેલી ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દાદરા નગર હવેલીના સાંસદ અને આદિવાસીઓના લાડીલા નેતા મોહનભાઇ ડેલકરની તસવીરને પુષ્પહાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી જેમાં આદિવાસી અગ્રણી ભરતભાઇ વસવા,મહેશભાઈ વસાવા, જશુભાઈ વસાવા સહિતના એ તેમના લોકપ્રિય નેતા મોહનભાઈ ડેલકરને આત્મહત્યા માટે પ્રેરિત કરનારા તત્વોને સખત સજા થાય તેવી માંગ સાથે આ કૃત્યને રાજપીપળાના આદિવાસી આગેવાનો એ સખત શબ્દોમાં વખોડી કાઢ્યું હતું.

(10:17 pm IST)