Gujarati News

Gujarati News

News of Saturday, 9th March 2019

આચારસંહિતા જાહેર થાય તે પહેલા જ તંત્ર લડી લેવાના મુડમાં : વધુ ૭ પી. આઇ.ના ફેરફાર : વડોદરાના ૪ પી.આઇ. બદલાયા

રાજકોટ : ચૂંટણીની આચારસંહિતા જાહેર થાય તે પહેલા જ તંત્ર જાણે લડી લેવાના મુડમાં હોય તેમ વધુ ૭ પી.આઇ.ના બદલી ઓર્ડરો બહાર પડતા ફલિત થયા વગર રહેતુ નથી. બીજા શબ્‍દોમાં કહીએ તો બદલીની મોસમ છેલ્લા દિવસોમાં પણ હજુ યથાવત રહી છે.

જે પોલીસ ઇન્‍સપેકટરોના બદલી હુકમો  નીકળ્‍યા છે તેમાં દ્વારકાના કે.પી.પરમાર  તથા આઇ.બી.(ગાંધીનગર) ના આર.એસ.બારીયા વડોદરા શહેર, જયારે વડોદરા શહેરના એચ.વી. ગોટીને સુરત, વડોદરાના જ એસ.એ.ચૌધરીને સુરત, વડોદરાના ડી.જી.તળવી ને ગાંધીનગર, વડોદરાના શ્રીમતિ એન.એમ.નાયકને આઇ.બી.ગાંધીનગર, જયારે દાહોદના એચ.એચ. ઝાલાને આઇ.બી. ગાંધીનગર તરીકે બદલતા હુકમો  કરવામાં આવ્‍યા છે.

(9:16 pm IST)